મહારાષ્ટ્ર: સાંગલીમાં લન્ચ ફૂડ પેકેટમાંથી નીકળ્યો મરેલો સાપ, દાવો

04 July, 2024 06:32 PM IST  |  Sangli | Gujarati Mid-day Online Correspondent

રાજ્યના આંગણવાડી કર્મચારી સંઘના ઉપાધ્યક્ષા આનંદી ભોસલેએ જણાવ્યું કે પલુસમાં એક બાળકના માતા-પિતાએ કહેવાતી ઘટનાની સૂચના સોમવારે આપી. જો કે, આની પુષ્ઠિ માટે જિલ્લાના અધિકારીઓનો સંપર્ક થઈ શક્યો નથી.

તસવીર સૌજન્ય મિડ-ડે

રાજ્યના આંગણવાડી કર્મચારી સંઘના ઉપાધ્યક્ષા આનંદી ભોસલેએ જણાવ્યું કે પલુસમાં એક બાળકના માતા-પિતાએ કહેવાતી ઘટનાની સૂચના સોમવારે આપી. જો કે, આની પુષ્ઠિ માટે જિલ્લાના અધિકારીઓનો સંપર્ક થઈ શક્યો નથી.

પશ્ચિમી મહારાષ્ટ્રમાં સાંગલી જિલ્લાની એક આંગણવાડીમાં બાળકો માટે આવેલા મધ્યાહ્ન ભોજનના પેકેટમાં કહેવાતી રીતે એક નાનો મરેલો સાપ મળવાની ઘટના સામે આવી છે. રાજ્ય આંગણવાડી કર્મચારી સંઘની ઉપાધ્યક્ષા આનંદી ભોસલેએ જણાવ્યું કે પલુસમાં એક બાળકના માતા-પિતાએ કથિત ઘટનાની સૂચના સોમવારે આપી. જો કે, આની પુષ્ઠિ માટે જિલ્લાના અધિકારીઓનો સંપર્ક કરવામાં આવી શક્યો નથી.

તેમણે બુધવારે જણાવ્યું, "છ મહિનાથી ત્રણ વર્ષની ઉંમરના બાળકોને આંગણવાડી કેન્દ્રોમાં મધ્યાહ્ન ભોજનના પેકેટ મળે છે. આ પેકેટ્સમાં દાળ ખિચડીનું મિશ્રણ હોય છે. સોમવારે પલુસમાં આંગણવાડી કાર્યકર્તાઓએ ફૂડ પેકેટ્સ વહેંચ્યા. એક બાળકના માતા-પિતાએ દાવો કર્યો છે કે તેમને મળેલા પેકેટમાં એક નાનકડો મરેલો સાપ હતો."

ભોસલેએ જણાવ્યું કે આંગણવાડી સેવિકા (મહિલા કાર્યકર્તા)એ અધિકારીઓને ઘટનાની સૂચના આપી. તેમણે જણાવ્યું કે સાંગલી જિલ્લા પરિષદના ઉપમુખ્ય કાર્યકારી અધિકારી સંદીપ યાદવ અને ખાદ્ય સુરક્ષા સમિતિના અન્ય અધિકારીઓએ આંગણવાડીની મુલાકાત લીધી અને પેકેટને પ્રયોગશાળા પરીક્ષણ માટે લઈ જવામાં આવ્યું છે. જિલ્લા પરિષના આંગણવાડી અનુભાગના પ્રભારી યાદવ સાથે વારંવાર પ્રયત્ન છતાં સંપર્ક થઈ શક્યો નથી.

રાજ્યના આંગણવાડી કર્મચારી સંઘનાં ઉપાધ્યક્ષા આનંદી ભોસલેએ જણાવ્યું કે પલુસમાં એક બાળકના માતા-પિતાએ ઘટનાની સૂચના સોમવારે આપી. જોકે, આની પુષ્ઠી માટે જિલ્લાના અધિકારીઓ સાથે સંપર્ક થઈ શક્યો નથી.

તેમણે જણાવ્યું કે 6 મહિનાથી 3 વર્ષની ઉંમરના બાળકોને આંગણવાડી કેન્દ્રોમાં મધ્યાહ્ન ભોજનના પેકેટ મળે છે. આ પેકેટ્સમાં દાલ ખિચડીનું મિશ્રણ હોય છે. સોમવારે પોલીસે આંગણવાડી કાર્યકર્તાઓએ ભોજનના પેકેટ્સની વહેંચણી કરી. એક બાળકના માતા-પિતાએ દાવો કર્યો છે કે બાળકના ફૂડ પેકેટમાં એક નાનકડો મરેલો સાપ હતો.

ભોસલેએ જણાવ્યું કે આંગણવાડી સેવિકા (મહિલા કાર્યકર્તા)એ અધિકારીઓને ઘટનાની સૂચના આપી. તેમણે જણાવ્યું કે સાંગલી જિલ્લા પરિષદના ઉપમુખ્ય કાર્યકારી અધિકારી સંદીપ યાદવ અને ખાદ્ય સુરક્ષા સમિતિના અન્ય અધિકારીઓએ આંગણવાડીની મુલાકાત લીધી અને પેકેટને પ્રયોગશાળા પરીક્ષણ માટે લઈ જવામાં આવ્યું છે. 

જિલ્લા પરિષદના આંગણવાડી અનુભાગના પ્રભારી યાદવ સાથે વારંવાર પ્રયત્ન છતાં સંપર્ક થઈ શક્યો નથી.

અન્ય ફૂડ આઈટમ્સમાંથી પણ નીકળ્યા છે અખાદ્ય પદાર્થો
આ પહેલા કાંદિવલીના ડૉક્ટરને આઈસ્ક્રીમમાંથી એક માણસની આંગળી મળી આવી હતી, આ અઠવાડિયા દરમિયાન હર્શિઝની બૉટલમાંથી એક મરેલો ઉંદર તેમજ વેફરના પડીકામાંથી મરેલો દેડકો પણ મળી આવ્યો હતો. આ ઘટનાઓ બાદ અનેક તપાસ થઈ અને તેમ છતાં એવું લાગે છે હજી લોકોમાં પેકેજ્ડ ફૂડ પ્રત્યેની જાગૃકતા આવી નથી.

mumbai news maharashtra news maharashtra sangli mumbai food indian food