બેલાપુર સ્ટેશન પાસેની ઝાડીમાંથી યુવતીનો હત્યા કરાયેલો મૃતદેહ મળ્યો

28 July, 2024 09:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બૉયફ્રેન્ડ ગાયબ છે એટલે પોલીસને શંકા છે કે તેણે યશશ્રીની હત્યા કરી હોઈ શકે

યશશ્રી શિંદે

બેલાપુર સ્ટેશન નજીક ઝાડીઓમાં એક યુવતી પડી હોવાનો ફોન પોલીસને મળ્યા બાદ તપાસ કરતાં શુક્રવારે મધરાત બાદ બે વાગ્યે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. તેના શરીર પર ઘણાબધા ઘા કરવામાં આવ્યા હતા. એથી પોલીસે હત્યાનો કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી. પોલીસતપાસમાં જાણવા મળ્યા મુજબ ૨૦ વર્ષની યશશ્રી શિંદે ઉરણમાં રહેતી હતી અને બેલાપુરમાં સર્વિસ કરતી હતી. તેનો મૃતદેહ મળી આવ્યા બાદ તેનો બૉયફ્રેન્ડ ગાયબ છે એટલે પોલીસને શંકા છે કે તેણે યશશ્રીની હત્યા કરી હોઈ શકે. એથી પાંચ ટીમ અલગ-અલગ જગ્યાએ તેને શોધી રહી છે.   

mumbai news mumbai belapur Crime News mumbai crime branch mumbai police uran