Mumbai News: મહાદેવ ઍપ કેસમાં ઇડીએ જપ્ત કરી 567 કરોડની જંગમ મિલકત, જાણો વિગત

22 October, 2023 02:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મહાદેવ ઍપ સટ્ટાબાજીના કેસ (Mumbai News)માં ED દ્વારા 197 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે અને ચાર્જશીટમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આરોપીઓએ ઍપ દ્વારા 6 હજાર કરોડ રૂપિયાની કમાણી કરી છે

લેસર બુક એપ પ્રમોશનલ મટિરિયલમાં ઉર્વશી રૌતેલા, કાજલ અગ્રવાલ અને સની લિયોન જોવા મળે છે

મહાદેવ ઍપ સટ્ટાબાજી કેસ (Mahadev Betting App Case)માં EDએ ચાર્જશીટ દાખલ કરી છે અને કુલ 567 કરોડની જંગમ મિલકત જપ્ત કરવામાં આવી હોવાનો ઉલ્લેખ કર્યો છે. તેવી જ રીતે પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે હજારો લોકો હજુ પણ ઍપ માટે કામ કરી રહ્યા છે. દરમિયાન, મહાદેવ ઍપ સટ્ટાબાજીના કેસ (Mumbai News)માં ED દ્વારા 197 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે અને ચાર્જશીટમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આરોપીઓએ ઍપ દ્વારા 6 હજાર કરોડ રૂપિયાની કમાણી કરી છે.

મહાદેવ બુક ઍપ કેસની તપાસ કરી રહેલી ED દ્વારા તાજેતરમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે સોનાના દાગીના, રોકડ અને સિક્યોરિટી હોલ્ડિંગ્સ સહિત 567 કરોડ રૂપિયાની જંગમ સંપત્તિ ED પાસેથી જપ્ત કરવામાં આવી છે. ED રાયપુર દ્વારા દાખલ કરવામાં આવેલી 197 પાનાની ચાર્જશીટમાં વધુમાં જણાવાયું છે કે લગભગ એક હજાર લોકો હજુ પણ ઍપ માટે કામ કરી રહ્યા છે.

મોટાભાગનો સટ્ટો વોટ્સઍપ નંબરો અને એજન્ટો દ્વારા કરવામાં આવે છે. વિવિધ પેનલો બનાવી કમિશનના ધોરણે કૉલ સેન્ટર ચલાવી રહ્યા છે. મહાદેવ બુક ઍપનું મુખ્ય કાર્યાલય UAEમાં છે અને તેનું સંચાલન મુખ્ય આરોપી સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ કરે છે. આ ઍપનો ઉપયોગ માત્ર ક્રિકેટ સટ્ટા માટે જ નહીં, પરંતુ વિવિધ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણી પર સટ્ટાબાજી માટે પણ થતો હતો. મહાદેવ બુક ઍપ માટે કામ કરતા મોટાભાગના સ્ટાફ છત્તીસગઢના છે, જેઓ સૌરભ અને રવિ ઉપ્પલને ઓળખે છે અને દુબઈ અને યુએઈમાં સ્થાયી થયા છે.

આ વર્ષે ઑગસ્ટમાં મહાદેવ ગેરકાયદે સટ્ટાબાજી ઍપ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ધરપકડ કરાયેલા સહાયક સબ-ઇન્સ્પેક્ટર (ASI) ચંદ્રભૂષણ વર્માએ કહ્યું હતું કે છત્તીસગઢના મુખ્યપ્રધાનના નજીકના મિત્રએ હવાલા વ્યવહારો દ્વારા પૈસા મેળવ્યા હતા, એમ ઇડી દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ચાર્જશીટ મુજબ વર્માએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને જણાવ્યું હતું કે નાગપુરથી એકત્ર કરાયેલ હવાલાના નાણાંનો એક ભાગ વિજય ભાટિયા, લક્ષ્મીનારાયણ બંસલ, આશિષ વર્મા અને મનીષ બંચરને આપવામાં આવ્યો હતો. વિજય ભાટિયા છત્તીસગઢના મુખ્યપ્રધાનના નજીકના મિત્ર છે. આશિષ વર્મા અને મનીષ બંચર છત્તીસગઢના મુખ્યમંત્રીના વિશેષ ફરજ પરના અધિકારી (OSD) છે.

મની લોન્ડરિંગના મોટા નેટવર્કનો પર્દાફાશ

મહાદેવ સટ્ટાબાજી ઍપ કેસમાં ED સતત દરોડા પાડી રહી છે. તેમ જ આ મામલે અનેક લોકોની તપાસ કરવામાં આવી છે. હવે આ મામલે બૉલિવૂડ રડાર પર આવી ગયું છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ કેસમાં બોલિવૂડ સુપરસ્ટાર રણબીર કપૂર (Ranbir Kapoor) જેવા ઘણા મોટા નામ સામેલ છે. આ વર્ષે ફેબ્રુઆરી 2023માં, સંયુક્ત આરબ અમીરાતમાં એક શાહી લગ્ન થયા. માહિતી સામે આવી રહી છે કે આ લગ્નમાં 200 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ લગ્ન સૌરભ ચંદ્રાકરના હતા. સૌરભ છત્તીસગઢના ભિલાઈનો રહેવાસી છે. સૌરભે તેના મિત્ર રવિ ઉપ્પલ સાથે મળીને `મહાદેવ ઓનલાઈન ઍપ` શરૂ કરી હતી. આ ઍપ પર ઓનલાઈન સટ્ટાબાજી કરવામાં આવે છે. તેના શાહી લગ્નમાં મોટી મોટી હસ્તીઓ પરફોર્મ કરવા આવી હતી. લગ્નને તેના શાહી ધામધૂમ અને ખર્ચને કારણે ED દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું અને સૌથી મોટા મની લોન્ડરિંગ નેટવર્કનો પર્દાફાશ થયો હતો.

 

ranbir kapoor directorate of enforcement mumbai mumbai news bollywood news