Mumbai News: બોરીવલીમાં ઈમારતનો એક ભાગ ધરાશાયી, બે લોકો ઘાયલ

10 February, 2024 08:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai News: મુંબઈના બોરીવલી વિસ્તારમાં ડિમોલિશનના કામ દરમિયાન ખાલી પડેલી બિલ્ડિંગનો એક ભાગ ધરાશાયી થયો હતો. આ દુર્ઘટનામાં બે વ્યક્તિઓને ઈજા થઈ હતી.

પ્રતીકાત્મક તસવીર

Mumbai News: મુંબઈના બોરીવલી વિસ્તારમાં ડિમોલિશનના કામ દરમિયાન ખાલી પડેલી બિલ્ડિંગનો એક ભાગ ધરાશાયી થયો હતો. આ દુર્ઘટનામાં બે વ્યક્તિઓને ઈજા થઈ હતી. મુંબઈમાં અવાર નવાર આવા સમાચાર (Mumbai News)સામે આવતાં રહે છે. 

BMCના MFB દ્વારા જાણ કરવામાં આવેલી આ ઘટના સ્થાનિક સમય અનુસાર લગભગ બપોરે 2:30 વાગ્યે બની હતી. પ્રાથમિક વિગતો અનુસાર ડિમોલિશનના કામમાં બિલ્ડિંગનો એક ભાગ અચાનક ધરાશાયી થયો હતો, જેના કારણે નીચેની શેરીમાં કાટમાળ તૂટી પડ્યો હતો. ઘટના સમયે બે ઓટો-રિક્ષા રોડ પરથી પસાર થઈ રહી હતી, જે નીચે પડેલા કાટમાળનો ભોગ બની હતી.

ઘાયલ ડ્રાઈવરોની ઓળખ 45 વર્ષીય રવિકુમાર લખનકુમાર રાણા અને 34 વર્ષીય મહિલા સુમન શુક્લા તરીકે થઈ છે. રાણાને તેના માથાં અને જમણા હાથમાં ઈજાઓ થઈ હતી, જ્યારે શુક્લાને તેની પીઠ અને બંને ઘૂંટણમાં ઈજાઓ થઈ હતી. બંને પીડિતોને તાત્કાલિક તબીબી સારવાર માટે શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ દરમિયાન બોરીવલીના ચીકુવાડી જોગર્સ પાર્કની તૂટેલી દિવાલ વિશે વારંવારની ફરિયાદોના જવાબમાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ 5 ફેબ્રુઆરીના રોજ મિડ-ડેના અહેવાલ બાદ આખરે સમારકામ શરૂ કર્યું છે.

જુલાઇ 2023 માં બનેલી આ ઘટના જ્યારે એક વૃક્ષ પાર્કની રેલિંગ પર તૂટી પડ્યું હતું, ત્યારે સંબંધિત રહેવાસીઓના સંગઠનને BMCમાં ફરિયાદ નોંધાવવા માટે પ્રેરિત કરવામાં આવ્યું હતું. આ ઘટનાને કારણે લોકો માટે પાર્કમાં જવું જોખમી બન્યું છે. જે બાળકોની સાંજની રમત અને વરિષ્ઠ નાગરિકોનું ચાલવા માટેનું એક લોકપ્રિય સ્થળ છે, જેમાં સુરક્ષાની ચિંતાઓ ઊભી થઈ છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આજે એક દુર્ઘટના ઘટી હતી. વલસાડ જિલ્લામાં શનિવારે એક સ્કૂલ બસમાં આગ લાગી હતી. દુર્ઘટનાનો શિકાર બનેલી આ બસમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ સવાર હતા. સદ્નસીબે ત્રણ શિક્ષકો સાથે ડઝનેક બાળકો આ ઘટનામાં સુરક્ષિત રીતે બચી ગયા છે. મળતી માહિતી મુજબ, વલસાડના ધરમપુરમાં વિલ્સન હિલ્સ જતા રસ્તામાં એક સ્કૂલ બસમાં આગ (Gujarat School Bus Fire)લાગી હતી. 

વલસાડ જિલ્લામાં શનિવારે એક સ્કૂલ બસમાં આગ લાગી હતી. ત્રણ શિક્ષકો સાથે ડઝનેક બાળકો આ ઘટનામાં બચી ગયા હતા. મળતી માહિતી મુજબ, વલસાડના ધરમપુરમાં વિલ્સન હિલ્સ જતા રસ્તામાં એક સ્કૂલ બસમાં આગ લાગી હતી. આ સ્કૂલ બસ સિલ્વાસાથી 30 સ્કૂલના બાળકો અને ત્રણ શિક્ષકોને પિકનિક માટે લઈ જઈ રહી હતી.

mumbai news borivali maharashtra news mumbai