મુંબઈને મળશે વધુ એક ‘વંદે ભારત’ ટ્રેન

25 December, 2023 09:06 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હવે મુંબઈ–જાલના વંદે ભારત શરૂ થવાની છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી એને લીલી ઝંડી દેખાડવાના છે.

‘વંદે ભારત` ટ્રેન

મુંબઈ : આલીશાન સવારી, જબરદસ્ત સ્પીડ અને વાજબી ભાડાંને કારણે લાંબા અંતરના પ્રવાસીઓની પસંદગીમાં ખરી ઉતરનાર ‘વંદે ભારત’ની ચાર ટ્રેન મુંબઈથી દોડી રહી છે એમાં ૩૦ ડિસેમ્બરથી વધુ એક મુંબઈ-જાલનાનો વધારો થવાનો છે. ‘વંદે ભારત’ દોડે એ પ્રવાસીઓ માટે સારી વાત છે, પણ એવું જાણવા મળ્યું છે કે આ ટ્રેનને કારણે મુંબઈની લોકલ ટ્રેનોનું ટાઇમ ટેબલ ખોરવાઈ શકે છે અને એથી મુંબઈગરાઓએ હેરાનગતિ અને હાડમારી ભોગવવી પડે એવી શક્યતા છે.

મુંબઈગરાઓએ હેરાનગ​​તિ ભોગવવી પડે એવી શક્યતા

રાજ્યની પહેલી વંદે ભારત ટ્રેન મુંબઈ-ગાંધીનગર વચ્ચે દોડી હતી. એ પછી મુંબઈ-સોલાપુર, મુંબઈ-શિર્ડી, મુંબઈ-ગોવા અને નાગપુર-બિલાસપુર વંદે ભારત ટ્રેનો દોડી રહી છે. એમાં હવે મુંબઈ–જાલના વંદે ભારત શરૂ થવાની છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી એને લીલી ઝંડી દેખાડવાના છે. સેન્ટ્રલ રેલવેમાં મુંબઈ સીએસએમટી-જાલના ટ્રેન શરૂ થશે એ ખરું, પણ એ ટ્રેન માટે ૧૩ અન્ય લાંબા અંતરની ટ્રેનો અને ૭ લોકલ ટ્રેનોના સમયમાં ફેરફાર થવાનો છે. એને કારણે લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરતા મુંબઈગરાઓએ હેરાનગ​​તિ ભોગવવી પડે એવી શક્યતા છે. 

vande bharat mumbai news narendra modi mumbai