Disha Salian: નિતેશ રાણેના દાવા બાદ તપાસમાં નવો વળાંક, BJP નેતાએ કરી આ અપીલ

16 July, 2024 01:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

દિવંગત બૉલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મેનેજર રહી ચૂકેલી દિશા સાલિયાનનાં મૃત્યુની ઘટના ફરી એકવાર ચર્ચામાં છે. ભાજપ વિધેયક નિતેશ રાણેએ મુંબઈ પોલીસ આયુક્તને દિશા સાલિયાન મોત મામલે તેમનું નિવદન લેવા માટે જવાબદાર અધિકારીએ બદલવાની અરજી કરી છે.

નિતેશ રાણે અને દિશા સાલિયાનની તસવીરોનો કૉલાજ

દિવંગત બૉલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મેનેજર રહી ચૂકેલી દિશા સાલિયાનનાં મૃત્યુની ઘટના ફરી એકવાર ચર્ચામાં છે. ભાજપ વિધેયક નિતેશ રાણેએ મુંબઈ પોલીસ આયુક્તને દિશા સાલિયાન મોત મામલે તેમનું નિવદન લેવા માટે જવાબદાર અધિકારીએ બદલવાની અરજી કરી છે. મુંબઈ પોલીસના સ્પેશિયલ ઇન્વેસ્ટિગેટિંગ ઑફિસરે 12 જુલાઈના રોજ રાણેને એક નોટિસ જાહેર કરી હતી.

ભાજપ નેતા અને વિધેયક નિતેશ રાણેએ સોમવારે મુંબઈ પોલીસ અધિકારીને દિશા સાલિયાન મૃત્યુ મામલે ચાલતી તપાસમાં તેમના નિવેદન લેવા માટે જવાબદાર અધિકારીને બદલવાની અરજી કરી. એક્સ પર એક પોસ્ટમાં નિતેશ રાણેએ કહ્યું, "મેં સીપી મુંબઈ સંબંધિત અધિકારીે બદલવાની અરજી કરી છે, જે દિશા સાલિયાન મામલે મારું નિવેદન લેશે."

SIT કરી રહી છે દિશા સાલિયાનના મૃત્યુ કેસની તપાસ
"મારા સ્ત્રોતો અનુસાર, મને તેની પૃષ્ઠભૂમિ વિશે શંકા છે અને તે કોના સંપર્કમાં છે. સીપીએ મને ખાતરી આપી છે કે તે બદલાશે અને મને જણાવશે," બીજેપી નેતાએ કહ્યું. તમને જણાવી દઈએ કે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મેનેજર દિશા સાલિયાનના મોતની તપાસ કરી રહેલી મુંબઈ પોલીસની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)એ બીજેપી ધારાસભ્ય નીતિશ રાણેને પત્ર મોકલ્યો હતો.

SITએ આ મામલે ધારાસભ્ય નિતેશ રાણે પાસેથી માહિતી માંગી છે. તેઓ દિશાની આત્મહત્યા અંગે આશંકા વ્યક્ત કરી રહ્યા છે અને તેના પર હત્યાનો આરોપ લગાવ્યો છે. 8 જૂન, 2020 ના રોજ, દિશાએ મલાડના જનકલ્યાણ નગરમાં એક બહુમાળી બિલ્ડીંગ પરથી કૂદીને આત્મહત્યા કરી.

રાણેએ પુરાવા હોવાનો કર્યો દાવો
નીતિશ રાણેએ 12 જુલાઈએ કહ્યું હતું કે, "મને હમણાં જ સમન્સ મળ્યો છે અને હું પહેલા દિવસથી જ કહી રહ્યો છું કે આ એક હત્યાનો કેસ છે. હું મુંબઈ પોલીસને સહકાર આપવા તૈયાર છું. એમવીએ સરકાર આ કેસને છુપાવી રહી છે. જોઈતી હતી અને આદિત્ય ઠાકરે અને તેના અન્ય મિત્રોને બચાવવા માંગતો હતો... મારી પાસે જે પણ માહિતી છે, હું પોલીસને આપવા તૈયાર છું."

નોંધનીય છે કે દિશાએ 8 જૂન 2020ના રોજ મલાડમાં એક બહુમાળી બિલ્ડીંગ પરથી કૂદીને આત્મહત્યા કરી હતી. આ ઘટનાના થોડા દિવસો બાદ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત મુંબઈના ઉપનગર બાંદ્રા સ્થિત પોતાના ફ્લેટમાં લટકતો જોવા મળ્યો હતો.

નોંધનીય છે કે, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર દિશા સાલિયાનના મૃત્યુના સંબંધમાં મુંબઈની માલવાણી પોલીસે ભાજપના ધારાસભ્ય નિતેશ રાણે (BJP MLA Nitesh Rane)ને શુક્રવારે 12 જુલાઈએ પૂછપરછ માટે હાજર થવા માટે નોટિસ મોકલી છે. નિતેશ રાણેએ દાવો કર્યો હતો કે, સાલિયાનની હત્યા કરવામાં આવી હતી. પોલીસ આ દાવા અંગે તેની પૂછપરછ કરી શકે છે અને તેનાથી સંબંધિત પુરાવા પણ માગી શકે છે.

nitesh rane sushant singh rajput murder case bharatiya janata party aaditya thackeray bandra mumbai police