midday

આગરામાં તૈયાર થનારું શિવાજી મહારાજનું સ્મારક તાજમહલ કરતાં વધારે લોકો જોવા ન આવે તો મારું નામ બદલી નાખજો

22 February, 2025 07:21 AM IST  |  Agra | Gujarati Mid-day Correspondent

આગરામાં રાખવામાં આવેલા કાર્યક્રમમાં દેવેન્દ્ર ફડણવીસે હિન્દવી સ્વરાજના સ્થાપકનું ભવ્ય-દિવ્ય સ્મારક બનાવવાની કરી જાહેરાત
બુધવારે આગરા ફોર્ટમાં આયોજિત એક કાર્યક્રમમાં દેવેન્દ્ર ફડણવીસ અને વિકી કૌશલ.

બુધવારે આગરા ફોર્ટમાં આયોજિત એક કાર્યક્રમમાં દેવેન્દ્ર ફડણવીસ અને વિકી કૌશલ.

આગરામાં છત્રપતિ શિવાજી મહારાજને જે જગ્યાએ કેદમાં રાખવામાં આવ્યા હતા એ જગ્યાએ તેમનું સ્મારક બનાવવાની જાહેરાત રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બુધવારે રાત્રે આગરામાં કરી હતી. તેઓ છત્રપતિ શિવાજી મહારાજની ૩૯૫મી જન્મજયંતી નિમિત્તે રાખવામાં આવેલા કાર્યક્રમમાં બોલી રહ્યા હતા. આ પ્રસંગે ઍક્ટર વિકી કૌશલ પણ હાજર હતો.

દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘આગરામાં છત્રપતિ શિવાજી મહારાજનું એક ભવ્ય-દિવ્ય સ્મારક બનશે. હું યોગીજીને પ્રાર્થના કરું છું કે તમે અમને એની પરવાનગી આપો. મહારાષ્ટ્ર સરકાર જમીન ખરીદવા તૈયાર છે. હું કસમ ખાઈને કહું છું કે એક વાર આ સ્મારક બન્યા બાદ તાજમહલ કરતાં વધારે લોકો એને જોવા ન આવે તો મારું નામ બદલી નાખજો.’ શિવાજી મહારાજને જ્યાં રાખવામાં આવ્યા હતા એ આગરા કોઠી અત્યારે મીના બાઝારના નામે જાણીતી છે. 

mumbai news mumbai agra shivaji maharaj devendra fadnavis