28 February, 2024 04:56 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રેલી દરમિયાન ટી રાજા સહિં (ફાઈલ ફોટો)
Mira Road News: મીરા રોડ પર ભડકાઉ ભાષણના આરોપોનો સામનો કરી રહેલા ભાજપના ધારાસભ્ય ટી રાજા સિંહની મુશ્કેલીઓ વધી શકે છે. AIMIM નેતા રિઝવાના ખાને ભડકાઉ ભાષણ આપવા બદલ ભાજપના ધારાસભ્ય વિરુદ્ધ FIR નોંધવાની માંગ કરી છે. રિઝવાના ખાને મીરા ભાયંદર ઝોન-1ના ડીસીપી પ્રકાશ ગાયકવાડને લેખિત ફરિયાદ કરી છે. જેમાં તેણે એફઆઈઆર નોંધવાની માંગ કરી છે. રિઝવાના ખાન મહારાષ્ટ્ર AIMIM ના જાણીતા અને યુવા નેતા છે. બીજેપી ધારાસભ્ય ટી રાજા સિંહે 25 ફેબ્રુઆરીએ મીરા રોડ (Mira Road News)પર રેલી કાઢી હતી. જેમાં તેમના પર બોમ્બે હાઈકોર્ટની શરતો તોડવાનો અને ભડકાઉ ભાષણ કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.
ભાષણની વીડિયોગ્રાફી કરવામાં આવી છે
25 ફેબ્રુઆરીએ બીજેપી ધારાસભ્ય ટી રાજા સિંહે બોમ્બે હાઈકોર્ટની પરવાનગીથી મીરા રોડ પર હિન્દુ રેલી કાઢી હતી. બોમ્બે હાઈકોર્ટના આદેશ પર આરટી રાજા સિંહના ભાષણની વીડિયોગ્રાફી કરવામાં આવી છે. રેલી પર ડ્રોન દ્વારા પણ નજર રાખવામાં આવી હતી. રિઝવાના ખાનાનો આરોપ છે કે રાજા સિંહે તેમના ભાષણમાં AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી વિરુદ્ધ ખોટી ટિપ્પણી કરી હતી. એટલું જ નહીં, તેણે બાબરી મસ્જિદની સાથે અન્ય મસ્જિદોને તોડી પાડવાની વાત કરી. રિઝવાના ખાને કહ્યું કે DCPએ તેમને પોલીસ વતી કેસ નોંધવાની જવાબદારી સોંપી છે. રિઝવાના ખાને કહ્યું કે તેમની પાર્ટી આ પ્રકારના ભાષણને સહન કરશે નહીં. રિઝવાના ખાન મહિલા સુરક્ષા ફાઉન્ડેશન ચલાવે છે. આ સાથે રિઝવાના ખાન MIMIM મુંબઈ મહિલા વિંગની પ્રમુખ છે.
મીરા રોડ પર રાજકીય સંઘર્ષ ચાલુ છે
મીરા રોડને લઈને ભાજપ અને AIMIM વચ્ચે ઘણા સમયથી શબ્દ યુદ્ધ ચાલી રહ્યું છે. મીરા રોડ પર રેલીમાં સ્થાનિક ધારાસભ્ય ગીતા જૈને પણ ભાગ લીધો હતો. તેમણે રેલીને પણ સંબોધિત કરી છે. આ રેલીમાં ટી રાજા સિંહે હિન્દુ રાષ્ટ્ર માટેના સંઘર્ષ માટે શપથ પણ લેવડાવ્યા હતા. ટી રાજા સિંહે ગર્જના કરી કે આગામી દિવસોમાં અન્ય મસ્જિદો ખાલી કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે અમે અમારી કાર સેવા ચાલુ રાખીશું.