ભત્રીજાથી ફાડ્યો છેડો, શરદ પવારના જુથને મળી અલગ ઓળખ, પાર્ટીને મળ્યું નવું નામ

07 February, 2024 09:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Maharashtra Politics: શરદ પવાર જૂથને ચૂંટણી પંચ તરફથી નવું નામ મળી ગયું છે. જાણો શરદ પવારના જુથનું નવું નામ શું હશે, જે નામ પર તે આગમી ચૂંટણીમાં મેદાનમાં ઉતરશે.

શરદ પવાર (ફાઈલ ફોટો)

Maharashtra Politics: શરદ પવાર જૂથને ચૂંટણી પંચ તરફથી નવું નામ મળી ગયું છે. હવે તેઓ `NCP શરદ ચંદ્ર પવાર` તરીકે ઓળખાશે. નોંધનીય છે કે આગામી લોકસભા ચૂંટણી 2024 પહેલા શરદ પવારને ઝટકો આપતા ચૂંટણી પંચે અજિત પવારના જૂથને અસલી એનસીપી ગણાવ્યું હતું. આવી સ્થિતિમાં NCPના નામ અને ચૂંટણી ચિન્હ બંને પર અજિત પવાર જૂથનો કબજો હતો.

આ પછી શરદ પવારના જૂથે ચૂંટણી પંચ પાસે 3 નામોની માંગણી કરી હતી અને શરદ જૂથે પ્રતીક માટે વટવૃક્ષની માંગણી કરી હતી. શરદ પવારના જૂથે `રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી શરદ પવાર`, `રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી શરદ ચંદ્ર પવાર` અને `રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી શરદરાવ પવાર`ના નામ ચૂંટણી પંચ સમક્ષ રજૂ કર્યા હતા. જેમાંથી ચૂંટણી પંચે "NCP શરદચંદ્ર પવાર"નું નામ જાહેર કર્યું છે.

શું છે સમગ્ર મામલો?

વાસ્તવમાં, શરદ પવાર અને અજિત પવાર વચ્ચે મતભેદો પછી, NCPમાં બંનેના અલગ જૂથો રચાયા હતા. એક જૂથ શરદ પવારનું હતું અને બીજું અજિત પવારનું હતું. આ દરમિયાન મંગળવારે ચૂંટણી પંચે અજિત પવારના જૂથને વાસ્તવિક NCP ગણાવ્યું હતું. આદેશ આપતી વખતે ચૂંટણી પંચે સ્વીકાર્યું કે અજિત પવાર જ અસલી NCP છે. ચૂંટણી પંચના આ નિર્ણયને શરદ પવાર જૂથ માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. પંચના આ નિર્ણય બાદ અજિત પવારના જૂથને NCPના નામ અને ચૂંટણી ચિન્હ બંને પર અધિકાર મળી ગયો છે.

6 મહિના સુધી ચાલેલી 10 થી વધુ સુનાવણીઓ પછી, ચૂંટણી પંચે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) માં વિવાદનું સમાધાન કર્યું છે અને અજિત પવારની આગેવાની હેઠળના જૂથની તરફેણમાં ચુકાદો આપ્યો છે. તેની સત્તાનો ઉપયોગ કરીને પંચે શરદ પવાર જૂથને તેની નવી રાજકીય રચના માટે નામનો દાવો કરવા અને પંચને ત્રણ પ્રાથમિકતાઓ આપવાનો વિકલ્પ પણ આપ્યો.

ઉલ્લેખનીય છે કે અજિત પવારની આગેવાની હેઠળના જૂથને પક્ષનું નામ અને પ્રતીક, ઘડિયાળ આપવાના ચૂંટણી પંચના નિર્ણયને પગલે શરદ પવાર કેમ્પના NCP કાર્યકરોએ મુંબઈના બેલાર્ડ એસ્ટેટમાં પાર્ટી કાર્યાલયની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભારતના ચૂંટણી પંચ (ECI) એ અજિત પવારના જૂથને સાંકેતિક જીત આપી છે.  તેમને તેમના કાકા શરદ પવાર પર આ ચૂકાદામાં જીત મેળવી છે. જેઓ વિરોધી જૂથનું નેતૃત્વ કરી રહ્યા હતા.

maharashtra news maharashtra political crisis sharad pawar nationalist congress party ajit pawar mumbai news