મહારાષ્ટ્રમાં કૉંગ્રેસને ફરી મોટો ઝટકો, વરિષ્ઠ નેતા અશોક ચવ્હાણે છોડ્યો હાથ

12 February, 2024 06:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અશોક ચવ્હાણે કૉંગ્રેસમાંથી રાજીનામું (Ashok Chavan Resigns) આપી દીધું છે. ચવ્હાણના આ નિર્ણયથી મહારાષ્ટ્ર કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે.

અશોક ચવ્હાણ

Ashok Chavan Resigns: મહારાષ્ટ્રમાં કૉંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ચવ્હાણે રાજ્યમાં પાર્ટી છોડવાનો નિર્ણય કર્યો છે. તેમણે પોતાનું રાજીનામું સ્પીકરને મોકલી આપ્યું હતું. તેમણે કૉંગ્રેસનું પ્રાથમિક સભ્યપદ છોડવાની પણ જાહેરાત કરી છે. એવી અટકળો છે કે તેઓ મહારાષ્ટ્રના સત્તાધારી ભાજપ-શિવસેના-એનસીપી ગઠબંધનમાં જોડાઈ શકે છે. રાજ્ય કૉંગ્રેસ અધ્યક્ષ નાના પટોલેને લખેલા પત્રમાં ચવ્હાણ (65)એ કહ્યું કે તેઓ પાર્ટી છોડી રહ્યા છે. તેમણે વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરને ધારાસભ્ય પદેથી રાજીનામું (Ashok Chavan Resigns)પણ સુપરત કર્યું હતું.

ફડણવીસે ચવ્હાણ બીજેપીમાં જોડાવાના સંકેત આપ્યા

ચવ્હાણના ભાજપમાં જોડાવા અંગેની અટકળો વચ્ચે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પત્રકારો સાથે વાત કરી હતી. ઈશારા દ્વારા તેમણે ચવ્હાણને ભાજપમાં જોડાવાનો ઈશારો કર્યો હતો. ફડણવીસે કહ્યું, "ચાલો જોઈએ કે ભવિષ્યમાં શું થાય છે." ઉલ્લેખનીય છે કે ચવ્હાણે કોંગ્રેસ છોડ્યાના થોડા દિવસ પહેલા મહારાષ્ટ્ર કોંગ્રેસના વરિષ્ઠ નેતા બાબા સિદ્દીકી અને મિલિંદ દેવરાએ પણ પાર્ટી છોડી દીધી હતી.

અશોક ચવ્હાણે કૉંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. ચવ્હાણના આ નિર્ણયથી મહારાષ્ટ્ર કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. હવે આ અંગે સંજય રાઉતનું નિવેદન સામે આવ્યું છે. ઉદ્ધવ જૂથના સાંસદ અને પ્રવક્તા સંજય રાઉતે કહ્યું, `હું વિશ્વાસ કરી શકતો નથી કે અશોક ચવ્હાણ ભાજપના સભ્ય બની ગયા છે. ગઈકાલ સુધી અમે સાથે હતા... અને ચર્ચા કરતા હતા... આજે તેઓ જતા રહ્યાં. શું એકનાથ શિંદે અને અજિત પવારની જેમ ચવ્હાણ પણ હવે કૉંગ્રેસ પર દાવો કરશે અને હાથનું પ્રતીક લેશે? શું ચૂંટણી પંચ તેમને આપશે? આપણા દેશમાં કંઈ પણ થઈ શકે છે.

મહારાષ્ટ્રમાં કૉંગ્રેસને મોટો ફટકો

મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. અશોક ચવ્હાણ પહેલા પણ મિલિંદ દેવરા અને બાબા સિદ્દીકી જેવા ઘણા વરિષ્ઠ નેતાઓ પાર્ટી છોડી ચૂક્યા છે. રાજીનામું આપ્યા પછી દેવરા એકનાથ શિંદેની શિવસેનામાં જોડાયા અને બાબા સિદ્દીકી અજિત જૂથની NCPમાં જોડાયા. રાજ્ય કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલેને લખેલા પત્રમાં ચવ્હાણ (65)એ કહ્યું કે તેઓ જૂના પક્ષના પ્રાથમિક સભ્ય તરીકે રાજીનામું આપી રહ્યા છે. તેમણે વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરને ધારાસભ્ય પદેથી રાજીનામું પણ સુપરત કર્યું હતું.

મહારાષ્ટ્ર કૉંગ્રેસના વરિષ્ઠ નેતાઓ બાબા સિદ્દીકી અને મિલિંદ દેવરાએ પાર્ટી છોડ્યાના થોડા દિવસો બાદ ચવ્હાણની કોંગ્રેસમાંથી એક્ઝિટ થઈ છે. ચવ્હાણના ભાજપમાં જોડાવાની ચર્ચા વચ્ચે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, ચાલો જોઈએ આગળ શું થાય છે. ચવ્હાણ મરાઠવાડા ક્ષેત્રના નાંદેડ જિલ્લાના રહેવાસી છે. તેમના પિતા સ્વર્ગસ્થ શંકરરાવ ચવ્હાણ પણ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન હતા. મુંબઈમાં આદર્શ હાઉસિંગ કૌભાંડમાં તેમની કથિત સંડોવણીને કારણે અશોક ચવ્હાણે 2010માં મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. તેઓ 2014-19 દરમિયાન પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પણ હતા.

congress maharashtra news mumbai news maharashtra political crisis