અજીત પવાર `ખુશ નથી` એવી ચર્ચાઓ વચ્ચે સુપ્રિયા સુલેએ જણાવી હકીકત

12 June, 2023 10:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP) ના નવા નિયુક્ત કાર્યકારી પ્રમુખ સુપ્રિયા સુલે (Supriya Sule)એ તેમના પિતરાઈ ભાઈ અજિત પવાર(Ajit Pawar)ના પ્રમોશન પછી `અસંતુષ્ટ` હોવાના દાવાઓને ફગાવી દીધા છે.

અજીત પવાર અને સુપ્રિયા સુલે

નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP) ના નવા નિયુક્ત કાર્યકારી પ્રમુખ સુપ્રિયા સુલે (Supriya Sule)એ તેમના પિતરાઈ ભાઈ અજિત પવાર(Ajit Pawar)ના પ્રમોશન પછી `અસંતુષ્ટ` હોવાના દાવાઓને ફગાવી દીધા છે અને તેને અફવાઓ ગણાવી છે. 10 જૂનના રોજ એનસીપીના સ્થાપના દિવસ પર પાર્ટીના વડા શરદ પવાર(Sharad Pawar)એ સુપ્રિયા સુલે અને વરિષ્ઠ નેતા પ્રફુલ પટેલને પાર્ટીના કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા. સ્પીકર તરીકે સેવા આપવા ઉપરાંત, સુપ્રિયા સુલેને મહારાષ્ટ્ર(Maharashtra)ના પ્રભારી પણ બનાવવામાં આવ્યા છે, જે અજિત પવાર (Ajit Pawar) સંભાળી રહ્યા હતા.

રવિવારે ANI સાથે વાત કરતા સુપ્રિયા સુલે(Supriya Sule)એ કહ્યું, "કોણ કહે છે કે તે (અજિત પવાર) ખુશ નથી, શું કોઈએ તેમને પૂછ્યું છે? આ અહેવાલો અફવા છે."

ઘોષણા બાદ સુપ્રિયા સુલે(Supriya Sule)પુણેની મુલાકાતે ગયા હતા અને પાર્ટીના કેટલાક કાર્યકરોને મળ્યા હતા. કાર્યકરોએ પણ તેમને અભિનંદન પાઠવ્યા હતા. પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા બાદ સુપ્રિયા સુલે(Supriya Sule)ની પુણેની આ પ્રથમ મુલાકાત હતી. સુપ્રિયા સુલેએ પણ રવિવારે બપોરે પુણે શહેરના ગાંધી ભવનમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને શ્રદ્ધાંજલિ આપી હતી.

આ પહેલા શનિવારે અજિત પવારે પણ પોતાના અસંતોષના સમાચારોને ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે તેઓ પાર્ટીના નિર્ણયથી ખુશ છે. અજિત પવારે કહ્યું, "કેટલીક મીડિયા ચેનલોએ એવા સમાચાર ચલાવ્યા કે અજિત પવારને કોઈ જવાબદારી મળી નથી, હું તેમને કહેવા માંગુ છું કે મહારાષ્ટ્રમાં વિપક્ષના નેતાની જવાબદારી મારી પાસે છે." તેમણે કહ્યું કે તેઓ રાજ્યના રાજકારણમાં સ્વેચ્છાએ સક્રિય છે. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાને કહ્યું, "છેલ્લા ઘણા વર્ષોથી સુપ્રિયા દિલ્હીમાં છે. હું રાજ્યની રાજનીતિમાં સક્રિય છું. મારી પાસે રાજ્યની જવાબદારી છે, કારણ કે હું અહીં વિપક્ષનો નેતા છું."

આ પણ વાંચો: ભત્રીજા અજિત પવારને પાર્ટીમાં પદ કેમ ન મળ્યું? શરદ પવારે જણાવ્યું કારણ

આ દરમિયાન દિલ્હીમાં સમારોહ પછી શરદ પવારે એવી અટકળોને નકારી કાઢી હતી કે તેમના ભત્રીજા અજિત પવાર સુલેની નિમણૂકથી નાખુશ હતા. પવારે કહ્યું કે તેમણે (અજિત પવાર) આ સૂચન આપ્યું હતું. તો તેમના સુખી કે દુ:ખી હોવાનો પ્રશ્ન જ ક્યાં છે.

ઉલ્લેખનીય છે કે ગત રોજ શરદ પવારે પણ અજીત પવારને લઈને ખુલાસો કર્યો હતો. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવાર(Sharad Pawar)એ આજે જણાવ્યું હતું કે પક્ષના બે કાર્યકારી પ્રમુખોની નિમણૂક કરવાનો તેમનો નિર્ણય એ સુનિશ્ચિત કરવા માટે હતો કે NCPની નેતૃત્વ ટીમ પાસે સમગ્ર દેશમાં પક્ષની બાબતોને જોવા માટે પૂરતા હાથ છે. NCPના કાર્યકારી પ્રમુખ તરીકે પ્રફુલ પટેલ (Praful Patel)અને સુપ્રિયા સુલે (Supriya Sule)ની નિમણૂક કર્યા પછી, પવારે આજે પત્રકારોને કહ્યું હતું, "દેશની સ્થિતિ એવી છે કે તમામ રાજ્યોની જવાબદારી માત્ર એક વ્યક્તિને સોંપવી ખોટું હશે." પટેલ અને સુલેની નિમણૂક કરવાનો નિર્ણય તેમના ભત્રીજા અજિત પવાર પર વિપરીત નહીં થાય તે અંગે પૂછવામાં આવતા, NCP વડાએ કહ્યું કે તેમનો ભત્રીજો પહેલેથી જ ઘણી જવાબદારીઓ સંભાળી રહ્યો છે. અજિત પવાર (Ajit Pawar)મહારાષ્ટ્ર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા છે.

supriya sule sharad pawar ajit pawar nationalist congress party mumbai news maharashtra