આજે ગુરુપુષ્યામૃત યોગમાં BJPના છ ઉમેદવાર ફૉર્મ ભરશે

24 October, 2024 11:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુખ્ય પ્રધાન એકનાથ શિંદે આજે ઉમેદવારી નોંધાવવાના હતા, પરંતુ તેમણે ગઈ કાલે અચાનક જાહેર કર્યું હતું કે તેઓ સોમવારે એટલે કે ૨૮ ઑક્ટોબરે ફૉર્મ ભરશે

દેવેન્દ્ર ફડણવીસ

આજે દિવસ અને રાત ચંદ્ર પુષ્ય નક્ષત્રમાં રહેશે અને ગુરુવાર છે એટલે ગુરુપુષ્યામૃત યોગ બન્યો છે ત્યારે વિધાનસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (BJP)ના મુંબઈના છ ઉમેદવાર ફૉર્મ ભરશે. મલબાર હિલ બેઠકમાંથી મંગલ પ્રભાત લોઢા વિલ્સન કૉલેજમાં, કાંદિવલીમાંથી અતુલ ભાતખળકર ઠાકુર કૉમ્પ્લેક્સની ઇલેક્શન ઑફિસમાં, વિલે પાર્લેમાંથી પરાગ અળવણી ઍરપોર્ટ કૉલોનીના સમાજ કલ્યાણ હૉલમાં, અંધેરીમાંથી અમિત સાટમ SNDT કૅમ્પસ સાંતાક્રુઝમાં, મુલુંડમાંથી મિહિર કોટેચા BMC માર્કેટ બિલ્ડિંગમાં અને વડાલામાંથી કાલિદાસ કોળંબકર વડાલા ઇલેક્શન ઑફિસમાં જઈને તેમના સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવશે. આજના યોગમાં બીજા પણ કેટલાક નેતાઓ ફૉર્મ ભરવાની તૈયારી કરીને બેઠા હતા, પરંતુ તેમનાં નામ જાહેર કરવામાં નથી આવ્યાં એવું જાણવા મળ્યું હતું.

ફડણવીસ આવતી કાલે, શિંદે-પવાર સોમવારે ઉમેદવારી નોંધાવશે

મુખ્ય પ્રધાન એકનાથ શિંદે આજે ઉમેદવારી નોંધાવવાના હતા, પરંતુ તેમણે ગઈ કાલે અચાનક જાહેર કર્યું હતું કે તેઓ સોમવારે એટલે કે ૨૮ ઑક્ટોબરે ફૉર્મ ભરશે. આ જ દિવસે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર પણ ફૉર્મ ભરશે, જ્યારે દેવેન્દ્ર ફડણવીસ આવતી કાલે ઉમેદવારી નોંધાવશે.

mumbai news mumbai bharatiya janata party maharashtra assembly election 2024 assembly elections political news