22 October, 2024 12:45 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાજ ઠાકરે
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરે ગઈ કાલે કલ્યાણ-ડોમ્બિવલીની મુલાકાતે ગયા ત્યારે તેમણે કલ્યાણ ગ્રામીણ વિધાનસભા બેઠકના પક્ષના એકમાત્ર વિધાનસભ્ય રાજુ પાટીલ તરીકે ઓળખાતા પ્રમોદ રતન પાટીલને ફરી ઉમેદવારી આપવાની જાહેરાત કરી હતી. આ સાથે જ રાજ ઠાકરેએ MNSના થાણેના જિલ્લાધ્યક્ષ અવિનાશ જાધવને પણ થાણેમાંથી ઉમેદવારી આપવાનું કહ્યું હતું. રાજ ઠાકરેએ કહ્યું હતું કે ‘પક્ષના ઉમેદવારોની બીજી યાદી જલદી જાહેર થશે. અત્યારે યાદી ફાઇનલ કરવામાં આવી રહી છે, પરંતુ આજે હું અહીં આવ્યો છું ત્યારે રાજુ પાટીલ અને અવિનાશ જાધવની ઉમેદવારી જાહેર કરું છું. ૨૪ ઑક્ટોબરે હું આ બન્ને ઉમેદવારનાં ફૉર્મ ભરવામાં આવશે ત્યારે અહીં આવીશ.’
મુખ્ય પ્રધાન એકનાથ શિંદે થાણે જિલ્લાની કોપરી-પાંચપાખાડી વિધાનસભાના વિધાનસભ્ય છે. આથી અવિનાશ જાધવને તેમની સામે ઉતારવામાં આવે છે કે બીજી કોઈ બેઠકમાં એ જોવું રહ્યું.