અજિત પવાર કેમ ન દેખાયા વડા પ્રધાનના રોડ-શોમાં?

16 May, 2024 09:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અ​જિત પવાર બારામતી લોકસભા બેઠકની ચૂંટણી બાદથી જ ઓછા દેખાતા હોવાથી તેઓ નારાજ હોવાની ચર્ચા ઊડી હતી

ફાઇલ તસવીર

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ગઈ કાલે સાંજે ઘાટકોપરમાં રોડ-શો થયો ત્યારે તેમની સાથે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સહિતના વરિષ્ઠ નેતાઓ જોવા મળ્યા હતા. જોકે આ સમયે મહારાષ્ટ્રના બીજા નાયબ મુખ્ય પ્રધાન અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના અધ્યક્ષ અજિત પવાર જોવા નહોતા મળ્યા. અ​જિત પવાર બારામતી લોકસભા બેઠકની ચૂંટણી બાદથી જ ઓછા દેખાતા હોવાથી તેઓ નારાજ હોવાની ચર્ચા ઊડી હતી. જોકે અજિત પવારની તબિયત સારી ન હોવાથી તેઓ બે દિવસથી મુંબઈમાં તેમના દેવ‌ગિરિ બંગલામાં આરામ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

Lok Sabha Election 2024 Lok Sabha narendra modi ghatkopar ajit pawar nationalist congress party bharatiya janata party mumbai mumbai news