BJPમાં ફરી જોડાવાની ચર્ચા વચ્ચે એકનાથ ખડસેએ કહ્યું… હું હવે કોઈ ચૂંટણી નહીં લડું

13 May, 2024 08:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે તેમણે હવે કોઈ ચૂંટણી ન લડવાની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા છે

એકનાથ ખડસે

૪૦ વર્ષ ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે રહ્યા બાદ ૨૦૨૦માં શરદ પવાર સાથે જનારા વ​રિષ્ઠ નેતા એકનાથ ખડસે ફરી BJPમાં જોડાવાની ચર્ચા ચાલી રહી છે ત્યારે ગઈ કાલે તેમણે હવે કોઈ ચૂંટણી ન લડવાની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા છે. એકનાથ ખડસેએ કહ્યું હતું કે ‘BJPમાં સામેલ થયા બાદ આગામી વિધાનસભાની ચૂંટણીમાં BJP તરફથી મુક્તાઈનગરની ટિકિટ મને આપવામાં આવશે એવી ચર્ચા છે. શરદ પવાર જૂથ મારી પુત્રી રોહિણીને ટિકિટ આપશે તો અહીં પિતા-પુત્રીની લડત થશે એવી અટકળો લોકો લગાવી રહ્યા છે. જોકે હવે મને ચૂંટણી લડવાની ઇચ્છા નથી એટલે કોઈ ચૂંટણી નહીં લડું. હું રાજકારણમાંથી નિવૃત્તિ નથી લઈ રહ્યો, કારણ કે હું રાજકીય માણસ છું એટલે BJP મને જે જવાબદારી આપશે એ હું નિભાવતો રહીશ.’

Lok Sabha Election 2024 Lok Sabha eknath khadse bharatiya janata party nationalist congress party maharashtra news maharashtra mumbai mumbai news