ફિર એક બાર મોદી સરકાર : રાજતિલક કી કરો તૈયારી, એક અકેલા સબ પે ભારી

09 June, 2024 08:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બાંદરામાં માતોશ્રી નજીક શિવસેનાએ લગાવ્યું બૅનર

તસવીર : આશિષ રાજે

આજે સાંજે નરેન્દ્ર મોદી ત્રીજી વખત ભારતના વડા પ્રધાન તરીકે શપથ લેશે એ સંદર્ભમાં બાંદરા-ઈસ્ટમાં ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રીની નજીક ગઈ કાલે એક બૅનર લગાવવામાં આવ્યું હતું. એકનાથ શિંદેની શિવસેનાના સ્થાનિક નેતા કુણાલ સરમળકરે લગાવેલા આ બૅનરમાં લખવામાં આવ્યું હતું કે ‘ફિર એક બાર મોદી સરકાર : રાજતિલક કી કરો તૈયારી, એક અકેલા સબ પે ભારી.’ આવું બૅનર ચર્ચાનો વિષય બન્યું છે.  

mumbai news mumbai uddhav thackeray eknath shinde shiv sena bandra