કોના માટે મંગાવાઈ અંબાણી પરિવારમાં 5000 કેરીઓ? માનસી પારેખે શૅર કરી પોસ્ટ

22 June, 2023 01:51 PM IST  |  Mumbai | Shilpa Bhanushali

જાણીતાં ગુજરાતી અભિનેત્રી માનસી પારેખ ગોહિલે એક પોસ્ટ શૅર કરી છે. આ પોસ્ટમાં માનસી પારેખ ગોહિલ, કોકિલાબહેન અંબાણી અને તેમનાં દીકરી દીપ્તિ સલગાંવકર સાથે જોવા મળે છે. આ તસવીરમાં કંઇક એવું છે જે આજે દરેકના મનમાં અનેક પ્રશ્નો ઊભા કરે છે અહીં જાણો જવાબ...

માનસી પારેખ ગોહિલે શૅર કરેલ કોકિલાબેન અંબાણી અને તેમનાં દીકરી દીપ્તિ સલગાંવકરની તસવીર

જાણીતાં ગુજરાતી અભિનેત્રી માનસી પારેખ ગોહિલે(Manasi Parekh Gohil) એક પોસ્ટ શૅર કરી છે. આ પોસ્ટમાં માનસી પારેખ ગોહિલ, કોકિલાબહેન અંબાણી (Kokilaben Ambani) અને તેમનાં દીકરી દીપ્તિ સલગાંવકર (Dipti Salgaonkar) સાથે જોવા મળે છે. આ તસવીરમાં કંઇક એવું છે જે આજે દરેકના મનમાં અનેક પ્રશ્નો ઊભા કરે છે તો જાણો શું છે એ અને શું છે આ પ્રશ્નોનો જવાબ?

માનસી પારેખ ગોહિલે (Manasi Parekh Gohil) તાજેતરમાં જ કોકિલાબહેન અંબાણી (Kokilaben Ambani) અને તેમનાં દીકરી દીપ્તિ સલગાંવકર સાથેની એક તસવીર પોસ્ટ સાથે શૅર કરી છે. આ તસવીર જોતા પાછળ શ્રીનાથજીની છબી દેખાય છે. અને તેમની આસપાસ અનેક કેરીઓ દ્વારા શણગાર કરવામાં આવ્યો છે તે જોવા મળે છે. 

હવે આ તસવીર ક્યારની છે? જાણીતાં ગુજરાતી અભિનેત્રી માનસી પારેખ ગોહિલ અને કોકિલાબહેન અંબાણી અને તેમનાં દીકરી કેવી રીતે સાથે છે? પાછળ આટલી બધી કેરીઓથી શ્રીનાથજીનો શણગાર ક્યારે કરવામાં આવ્યો છે આવા અનેક પ્રશ્નો ઊભા થાય છે. પણ માનસી પારેખ ગોહિલની આ પોસ્ટમાં તેમણે આપેલા કૅપ્શનથી આ દરેક પ્રશ્નનો જવાબ પણ મળી જાય છે.

માનસી પારેખ ગોહિલે પોસ્ટ શૅર કરતા લખ્યું છે કે, "અંબાણી પરિવાર જે રીતે દરેક ભારતીય તહેવાર ઉત્સાહ, ઉમંગ અને ભવ્યતાથી ઊજવે છે તે રીતે કોઈ ઊજવતું નથી. શ્રીનાથજીને પ્રસાદ તરીકે 5000 કેરીઓ સાથે પાટોત્સવ માટે અષાઢી બીજની ઉજવણી કરવામાં આવી. આ ઊજવણીમાં અમને આમંત્રણ આપવા બદલ કોકિલાબેનનો ખૂબ ખૂબ આભાર.."

માનસી પારેખ ગોહિલે અષાઢી બીજ નિમિત્તે શ્રીનાથજીને 5000 કેરીઓ પ્રસાદ તરીકે ધરાવવામાં આવી હતી. તસવીરમાં જોઈ શકાય છે કે આ કેરીઓ શ્રીનાથજીની આસપાસ મૂકવામાં આવી છે. આ તસવીર માટે કોકિલાબહેન અંબાણી, તેમનાં દીકરી દીપ્તિ સલગાંવકર અને અભિનેત્રી માનસી પારેખ ગોહિલે પોઝ આપ્યો છે. કોકિલાબહેન અંબાણીએ પટોળું પહેરીને દીકરી સાથે ટ્વિનિંગ કર્યું છે.

20 જૂન 2023ના અનિલ અંબાણી અને ટીના અંબાણીએ પોતાના સી વિંડ સ્થિત બંગલોમાં `જગન્નાથ યાત્રા` માટે એક ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં અંબાણી પરિવારના સભ્યો અને કેટલાક નજીકના મિત્રો સામેલ થયા હતા. આ કાર્યક્રમની કેટલીક તસવીરો જોવા મળી રહી છે. 

માનસીની આ પોસ્ટ વિશે વાત કરીએ તો અત્યાર સુધી આ પોસ્ટને હજારો લાઈક્સ કૉમેન્ટ્સ મળી ચૂક્યા છે. લોકો માનસી પારેખ, કોકિલાબહેન અંબાણીના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. માનસી પારેખ ગોહિલ પોતે સતત ઈન્સ્ટાગ્રામ પર એક્ટિવ રહીને પોતાના ચાહકોને અપડેટ આપતા રહે છે. એમાં પછી તેમના વેકેશન ફોટોઝ હોય કે કૂકિંગ વીડિયોઝ, માનસી પારેખના ચાહકો પણ તેમની દરેક પોસ્ટની આતુરતાથી રાહ જોતા હોય છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો માનસી પારેખ ગોહિલ છેલ્લે કોન્ગ્રેચ્યુલેશન્સ ફિલ્મમાં શર્મન જોશી સાથે જોવા મળી હતી. આ પહેલા ખૂબ જ લોકપ્રિય થયેલી ફિલ્મ કચ્છ એક્સપ્રેસમાં પણ તેણે મોંઘીનું મુખ્ય પાત્ર ભજવ્યું હતું.

manasi parekh anil ambani mumbai news Rathyatra mumbai dhollywood news gujarati film entertainment news kokilaben ambani nita ambani mukesh ambani