midday

જપાનની ટૉયોટા કંપની છત્રપતિ સંભાજીનગરમાં કાર બનાવશે- ૨૦,૦૦૦ કરોડ રૂપિયાના રોકાણ સામે ૨૦,૦૦૦ લોકોને રોજગાર મળશે

01 August, 2024 09:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટૉયોટા મોટર્સનો કર્ણાટકમાં પ્લાન્ટ હોવા છતાં કંપનીએ મહારાષ્ટ્રની પસંદગી કરી છે એ આનંદની વાત છે.
ગઈ કાલે સવારે મુંબઈમાં સહ્યાદ્રિ ગેસ્ટહાઉસમાં ટૉયોટા મોટર્સ કંપની સાથે કરાર કરવામાં આવ્યા હતા.

ગઈ કાલે સવારે મુંબઈમાં સહ્યાદ્રિ ગેસ્ટહાઉસમાં ટૉયોટા મોટર્સ કંપની સાથે કરાર કરવામાં આવ્યા હતા.

જપાનની ઑટોમોબાઇલ કંપની ટૉયોટા મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં ૨૦,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરશે. આ બાબતની જાહેરાત ગઈ કાલે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર સહિત ઉદ્યોગપ્રધાન ઉદય સામંતની હાજરીમાં મુંબઈમાં કરવામાં આવી હતી અને આ સંબંધી કરાર કરવામાં આવ્યા હતા. દેવેન્દ્ર ફડણવીસ છેલ્લા કેટલાક મહિના પહેલાં જપાનની મુલાકાતે ગયા હતા ત્યારે તેમણે આ રોકાણ સંબંધે ટૉયોટા કંપની સાથે વાતચીત કરી હતી. દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે સોશ્યલ મીડિયા એક્સ પર શૅર કરેલા વિડિયોમાં આ વિશે કહ્યું હતું કે ‘છત્રપતિ સંભાજીનગર માટે આ ખૂબ આનંદની વાત છે. કિર્લોસ્કર ટૉયોટા મોટર્સનું ૨૦,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ આજે ઔરંગાબાદ ઇન્ડસ્ટ્રિયલ સિટી (AURIC)માં આવ્યું છે. આ પ્રોજેક્ટથી ૮૦૦૦ લોકોને ડાયરેક્ટ અને ૧૨થી ૧૩ હજાર લોકોને અપ્રત્યક્ષ રોજગાર મળશે. આ રોકાણ ઇલેક્ટ્રિક અને હાઇબ્રિડ કાર માટેનું છે. એકનાથ શિંદેના નેતૃત્વમાં સતત રોકાણ માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ટૉયોટા મોટર્સનો કર્ણાટકમાં પ્લાન્ટ હોવા છતાં કંપનીએ મહારાષ્ટ્રની પસંદગી કરી છે એ આનંદની વાત છે. આ રોકાણથી છત્રપતિ સંભાજીનગરમાં વિકાસને વેગ મળશે.’

Whatsapp-channel
japan Chhatrapati Sambhaji Nagar mumbai news mumbai maharashtra news devendra fadnavis toyota