ઘાટકોપરમાં પૂ. શ્રી ધીરગુરુદેવની નિશ્રામાં જીવદયામાં લાખોના ફન્ડથી આનંદોત્સવ

06 December, 2023 09:27 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પૂ. શ્રી ધીરગુરુદેવના કલકત્તા ચાતુર્માસ વિહાર શુભેચ્છા સમારોહ પ્રસંગે ખીચોખીચ ધર્મસભાને સંબોધતાં ગુરુદેવે જણાવ્યું હતું કે ‘ના કોઈ ગુરુ, ના કોઈ ચેલા, મેલે મેં અકેલા, અકેલા મેં મેલા. જીવનમાં માર્ગદર્શક બનીને જીવો. ધ્યેય માટે જીવો અને આત્મા માટે જીવો.’

ઘાટકોપરમાં પૂ. શ્રી ધીરગુરુદેવની નિશ્રામાં જીવદયામાં લાખોના ફન્ડથી આનંદોત્સવ

શ્રી ઘાટકોપર સ્થાનકવાસી જૈન મોટા સંઘના આંગણે પૂ. શ્રી ધીરગુરુદેવના કલકત્તા ચાતુર્માસ વિહાર શુભેચ્છા સમારોહ પ્રસંગે ખીચોખીચ ધર્મસભાને સંબોધતાં ગુરુદેવે જણાવ્યું હતું કે ‘ના કોઈ ગુરુ, ના કોઈ ચેલા, મેલે મેં અકેલા, અકેલા મેં મેલા. જીવનમાં માર્ગદર્શક બનીને જીવો. ધ્યેય માટે જીવો અને આત્મા માટે જીવો.’

સાધ્વીજી પૂ. ચેતનાજી મ.સ., પૂ. અસ્મિતાજી મ.સ., પૂ. સોનલજી મ.સ., પૂ. સંબોહિજી મહાસતીજી તથા પ્રેરણાના તંત્રી અજયભાઈ શેઠ તથા મુકેશભાઈ કામદાર, જુલી શાહ વગેરેએ શુભેચ્છા-અનુમોદના પ્રવચન કર્યું હતું. જીવદયા ફન્ડમાં બીનાબહેન અજયભાઈ શેઠ સહિત અનેક ભાવિકોએ લાખો રૂપિયા અર્પણ કર્યા હતા. 

પૂ. ગુરુદેવ શનિવાર, નવમી ડિસેમ્બરે પુણે જૈન ભવન, સ્વાર ગેટ ખાતે પધારશે. 

mumbai news Mumbai jain community gujarati community news