Mumbaiની હાયરાઈઝ બિલ્ડિંગમાં ન કરાવ્યું આ કામ તો કપાશે વીજળી-પાણી

12 February, 2024 10:06 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફાયર બ્રિગેડની ટીમ આવી બિલ્ડીંગોની ઓચિંતી મુલાકાત લેશે અને જો ફાયર ઓડિટ હાથ ધરવામાં નહીં આવે તો 10 દિવસમાં પાણી અને વીજળીના જોડાણો કાપી નાખશે. ગયા વર્ષે, ફાયર બ્રિગેડને મુંબઈમાં 15,000 કૉલ આવ્યા હતા, જેમાંથી 5074 કૉલ આગને લગતા હતા.

મુંબઈ ફાયર માટે વાપરવામાં આવેલી પ્રતીકાત્મક તસવીર

Fire Audit: મુંબઈની હાયરાઈઝ બિલ્ડિંગમાં વધતી આગ લાગવાની ઘટનાઓને અટકાવવા માટે મુંબઈ ફાયર બ્રિગેડ હવે એક્શન મોડમાં આવી ગયું છે. ફાયર બ્રિગેડ વિભાગે એવી ઇમારતોમાં વર્ષમાં બે વાર ફાયર ઑડિટ કરાવવાનું ફરજિયાત કરી દીધું છે. ફાયર બ્રિગેડના એક અધિકારીએ જણાવ્યું હતું કે બહુમાળી ઇમારતો માટે જાન્યુઆરી અને જુલાઈ મહિનામાં વર્ષમાં બે વાર ફાયર ઓડિટ રિપોર્ટ સબમિટ કરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. ફાયર બ્રિગેડની ટીમ આવી બિલ્ડીંગોની ઓચિંતી મુલાકાત લેશે અને જો ફાયર ઓડિટ હાથ ધરવામાં નહીં આવે તો 10 દિવસમાં પાણી અને વીજળીના જોડાણો કાપી નાખશે. ગયા વર્ષે, ફાયર બ્રિગેડને મુંબઈમાં 15,000 કૉલ આવ્યા હતા, જેમાંથી 5074 કૉલ આગને લગતા હતા.

મુંબઈમાં કુલ 40 લાખથી વધુ પ્રોપર્ટી છે. જેમાં 3629 ઊંચી ઇમારતો અને 362 બહુમાળી ઇમારતોનો સમાવેશ થાય છે. અધિકારીએ કહ્યું કે ચેતવણીઓ છતાં સોસાયટી અને બહુમાળી ઇમારતોમાં ફાયર સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. તેથી દરેક વોર્ડમાં મોટી ઇમારતોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. જાન્યુઆરી અને જુલાઇમાં ફાયર ઓડિટ (Fire Audit) સબમિટ ન કરનારાઓની યાદી જોયા બાદ આવી બિલ્ડીંગોની ઓચિંતી તપાસ કરવામાં આવશે. આ માટે દરેક વોર્ડમાં ટીમ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

ફાયર બ્રિગેડ પાસે હાલમાં 90 મીટરની ઉંચાઈ સુધીની સીડીઓ છે. આની મદદથી 100 મીટર ઉંચી ઈમારતોમાં આગ ઓલવી શકાશે. આનાથી ઉંચી ઇમારતોમાં આગ ઓલવવી એ એક મોટો પડકાર છે, તેથી ફાયર બ્રિગેડે આવી ઇમારતોમાં સ્પ્રિંકલર લગાવવાનું ફરજિયાત બનાવ્યું છે. અધિકારીએ કહ્યું કે 80 ટકા શોર્ટ સર્કિટ ઈમારતોમાં થાય છે, તેથી સોસાયટીઓ અને મોટી ઈમારતોમાં પણ ઇલેક્ટ્રિકલ ઓડિટ ફરજિયાત કરવામાં આવ્યું છે.

નિયમો તોડ્યા બાદ 10 દિવસનો ગ્રેસ પીરિયડ
નિયમોના ઉલ્લંઘનના કિસ્સામાં, સોસાયટીને 10 દિવસની તક આપવામાં આવશે. જો આ પછી પણ ફાયર સિસ્ટમનું સમારકામ કરવામાં નહીં આવે તો ત્યાંના પાણી અને વીજળીના જોડાણો કાપી નાખવામાં આવશે. (Fire Audit)

નોંધનીય છે કે, બીએમસીના ચીફ આઇ. એસ. ચહલે ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં ૨૦૨૪-’૨૫ માટે નાગરિક બજેટ રજૂ કર્યું હતું. બજેટ ફન્ડ કોડ ૧૧ મુજબ વિવિધ પાયાની નાગરિક સુવિધાઓ અને વિકાસકાર્ય પ્રદાન કરવાની જોગવાઈ હેઠળ બીએમસીએ ૭૫૦ કરોડ રૂપિયાની જોગવાઈ કરી હતી. મૂળભૂત નાગરિક સુવિધાઓ સિવાયના કામ માટે જોગવાઈ હેઠળ ૩૦૦ કરોડ રૂપિયાની બીજી જોગવાઈ કરવામાં આવી હતી. સુધરાઈના અધિકારીઓએ પુષ્ટિ કરી હતી કે આ ભંડોળનો ઉપયોગ ​વિધાનસભ્યો અને સાંસદો દ્વારા તેમના મતવિસ્તાર માટે સૂચવેલા કામ માટે કરવામાં આવશે.

બજેટ ડૉક્યુમેન્ટ અનુસાર વર્તમાન નાણાકીય વર્ષ (૨૦૨૩-’૨૪)ના અંદાજપત્રમાં બીએમસીએ વિવિધ પાયાની નાગરિક સુવિધાઓ અને વિકાસકાર્યો માટે ૨૫૫ કરોડ રૂ​પિયાની જોગવાઈ કરી હતી, જેને પછીથી વધારીને ૭૧૫ કરોડ રૂપિયા કરવામાં આવી હતી. મૂળભૂત નાગરિક સુવિધાઓ સિવાયના કામ માટેની જોગવાઈ પણ સુધારેલા બજેટમાં રજૂ કરવામાં આવી હતી. આ અંતર્ગત બીએમસીએ ૯૦ કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. આ ભંડોળનો ઉપયોગ ​વિધાનસભ્યો અને સાંસદો માટે પાલક પ્રધાનોની મંજૂરી દ્વારા કરવામાં આવે છે. બીએમસીએ વર્તમાન ૨૦૨૩-’૨૪ના સુધારેલા બજેટમાં કુલ ૮૦૫ કરોડ ૨૦૨૩-’૨૪ની જોગવાઈ કરી છે.

ડૉક્યુમેન્ટ અનુસાર બીએમસીએ રાજ્યના શાસક પક્ષના વિધાનસભ્યો, સાંસદો અને ભૂતપૂર્વ કૉર્પોરેટરોને ૭૦૦ કરોડ રૂપિયાનું ભંડોળ વિતરિત કર્યું છે. વિપક્ષના ​વિધાનસભ્યો અને સાંસદોને ફન્ડ મળ્યું નથી. ફેબ્રુઆરીમાં બીએમસીએ એક ઠરાવ પસાર કર્યો હતો કે તે આગામી નાગરિક ચૂંટણી પછી જ ​વિધાનસભ્યો અને સાંસદો દ્વારા સૂચવવામાં આવેલાં વિકાસકાર્યો માટે ભંડોળ પૂરું પાડશે.

mumbai news fire incident brihanmumbai municipal corporation things to do in mumbai mumbai maharashtra news maharashtra