26 July, 2024 11:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગયા રવિવારે ગણેશ ગલીના મુંબઈચા રાજાનું પાદ્યપૂજન કરવામાં આવ્યું હતું.
ફાયર-બ્રિગેડ, ટ્રાફિક-પોલીસ, લોકલ પોલીસનું નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ લેવાનું હોય છે. એ બધું જ BMCની વૉર્ડ-ઑફિસમાં સિંગલ વિન્ડો પરથી આપવામાં આવે છે. જોકે એમાં સમય લાગતો હોવાથી મંડળોના પદાધિકારીઓ ફાયર-બ્રિગેડ, પોલીસ અને ટ્રાફિક-પોલીસની ઑફિસે જઈને એ માટે ફૉલોઅપ કરે છે અને ત્યાર બાદ નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ મળતું હોય છે. આ વર્ષે હવે દોઢ જ મહિનો બાકી રહ્યો છે છતાં એ સિંગલ વિન્ડો કાઉન્ટર ઓપન કરવામાં નથી આવ્યું એથી ગણેશ મંડળોના પદાધિકારીઓ મૂંઝવણમાં મુકાઈ ગયા છે.
શું કહે છે સમન્વય સમિતિના અધ્યક્ષ?
બૃહન્મુંબઈ સાર્વજનિક ગણેશોત્સવ સમન્વય સમિતિના અધ્યક્ષ ઍડ્વોકેટ નરેશ દહિબાવકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સાર્વજનિક ગણપતિ મંડળોના ગણપતિનું આગમન ૧૧ ઑગસ્ટથી ચાલુ થઈ જશે. એ પછી એ ચાલુ જ રહેશે. મૂળમાં ઘણી જગ્યાએ ગણપતિ લાવ્યા બાદ પણ ઘણું ડેકોરેશન કરવાનું હોય છે. મંડળો દ્વારા એ ડેકોરેશન માટેનો કૉન્ટ્રૅક્ટ આપવામાં આવતો હોય છે. જો પરવાનગી જ ન હોય તો મંડપ કેમ બાંધવો અને એ પછી ડેકોરેશન ક્યારે કરવું જેવી સમસ્યાઓ ઊભી થાય છે. અમે આ સંદર્ભે BMCના અધિકારીઓ સાથે ઑલરેડી બેઠક કરી છે, પણ હજી સુધી કોઈ ડેવલપમેન્ટ નથી. મૂળમાં ઉપરોક્ત બધી પરવાનગીઓ અને નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ આપતાં પહેલાં રેવન્યુ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ સ્પૉટ-વિઝિટ કરવી પડે છે અને એ પછી જ એ માટેની પરવાનગી મળે છે. આમ આ થોડી લેન્ધી પ્રોસીજર છે. હાલ તો મંડળો વહેલી તકે પરવાનગી મળે એની રાહ જોઈ રહ્યાં છે.’