Eknath Shinde: સોશિયલ મીડિયા પર CM શિંદે વિરુદ્ધ અશ્લીલ ટીપ્પણી, પોલીસે નોંધ્યો કેસ

19 November, 2023 01:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Eknath Shinde: 56 વર્ષીય મહિલા, જેણે ફેસબુક એકાઉન્ટ પર અશ્લીલ પોસ્ટ કરવામાં આવી છે તે શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે (UBT) કાર્યકર છે.

એકનાથ શિંદેની ફાઇલ તસવીર

મુંબઈ પોલીસે ફેસબુક પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે (Eknath Shinde) વિરુદ્ધ કથિત રીતે વાંધાજનક અને અપમાનજનક પોસ્ટ કરવા બદલ એક વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો છે, એમ એક અધિકારીએ આ માહિતી આપી હતી. 

મળતી માહિતી અનુસાર 56 વર્ષીય મહિલા, જેણે ફેસબુક એકાઉન્ટ પર અશ્લીલ પોસ્ટ કરવામાં આવી છે તે શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે (UBT) કાર્યકર છે. ફરિયાદી અહીં અંધેરી વિધાનસભા મતવિસ્તાર માટે શિંદેના નેતૃત્વવાળી શિવસેનાના સંયોજક પણ છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ફરિયાદીને આ પોસ્ટ ઓનલાઈન સમાચાર વાંચતી વખતે મળી હતી. પોસ્ટનો હેતુ મહિલાની ગરિમાને ઠેસ પહોંચાડવાનો છે. તેમણે કહ્યું કે મહિલા દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે ભારતીય દંડ સંહિતાની કલમ 509 (મહિલાની ગરિમાનું અપમાન કરવાના હેતુથી શબ્દ, હાવભાવ અથવા કૃત્ય), 153-A (1) (બે જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવી) અને હેઠળ માહિતી ટેકનોલોજી અધિનિયમની જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ત્રણ દિવસમાં શિવસેના (UBT)ના કાર્યકરો સામે નોંધાયેલો આ બીજો કેસ છે.

ઉદ્ધવ જૂથ અને શિવસેનાના કાર્યકરો બે દિવસ પહેલા સામસામે આવી ગયા હતા

એકનાથ શિંદે (Eknath Shinde)ની આગેવાની હેઠળની શિવસેના અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT) ના કાર્યકરો ગુરુવારે સામસામે આવ્યા હતા અને પક્ષના સ્થાપક સ્વર્ગસ્થ બાળ ઠાકરેના સ્મારક પર એકબીજા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. જ્યારે શિવસેનાના કાર્યકર્તાઓએ પોકાર કર્યો કે પક્ષ તેમનો છે, ઉદ્ધવ ઠાકરે પ્રત્યે વફાદારી ધરાવતા લોકોએ "ગો બેક ગદ્દાર"ના નારા સાથે જવાબ આપ્યો હતો. 

આ ઘટના ત્યારે બની જ્યારે મુખ્યમંત્રી શિંદે (Eknath Shinde) દાદરના શિવાજી પાર્ક સ્થિત સ્મારક પર બાળ ઠાકરેને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. એકનાથ શિંદે (Eknath Shinde)એ આ મામલે કહ્યું હતું કે, "કાયદો અને વ્યવસ્થા જાળવવી એ દરેકની જવાબદારી છે. કાયદો અને વ્યવસ્થાની કોઈ સમસ્યા ન થાય તે સુનિશ્ચિત કરવા માટે હું એક દિવસ પહેલા જ શ્રદ્ધાંજલિ આપું છું. હું શાંતિને ખલેલ પહોંચાડવાના પ્રયાસની નિંદા કરું છું."

શનિવારે શિવસેના (યુબીટી) નેતા આદિત્ય ઠાકરેએ કહ્યું કે સરકાર અને મુખ્યમંત્રી પોતે ‘ગેરકાયદેસર અને અનૈતિક’ છે. મને લાગે છે કે હાસ્યાસ્પદ બાબત એ છે કે આ સરકાર પોતે જ ગેરકાયદેસર છે. તો તેઓ કોને ગેરકાયદે જાહેર કરી રહ્યા છે? મારા ટ્વીટના પરિણામે તેઓએ મેટ્રોને જનતા માટે ખોલી દીધી... આ મારો મતવિસ્તાર છે પરંતુ મેં કહ્યું નથી કે અમે આ કર્યું છે. અથવા તેઓએ તે કર્યું. મેં તો માત્ર એટલું જ કહ્યું કે ગેરકાયદેસર અને અનૈતિક એવા મુખ્યમંત્રી પાસે આવા પ્રોજેક્ટ માટે જનતા માટે સમય નથી. તેથી આપણે તેને લોકો માટે ખોલવું જોઈએ."

eknath shinde aaditya thackeray social media mumbai police shiv sena mumbai news mumbai uddhav thackeray