26/11 Attack: પુત્રો અને પત્ની સહિત બધું જ ગુમાવ્યું, તાજ હોટલના જીએમનું દર્દ સાંભળી હૃદય કંપી ઉઠશે

10 September, 2022 12:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈમાં 26/11ના આતંકી હુમલા સમયે તાજ હોટલના જનરલ મેનેજર રહેલા કરમબીર કાંગ આ ભયાનક દ્રશ્યને યાદ કરીને ભાવુક થઈ ગયા હતા.

ફાઈલ ફોટો

મુંબઈમાં 26/11ના આતંકી હુમલા સમયે તાજ હોટલના જનરલ મેનેજર રહેલા કરમબીર કાંગ આ ભયાનક દ્રશ્યને યાદ કરીને ભાવુક થઈ ગયા હતા. આતંકવાદના પીડિતો માટે પ્રથમ યુએન ગ્લોબલ કોંગ્રેસમાં બોલતા કરમબીર કાંગે આંતરરાષ્ટ્રીય સમુદાયને આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી કરવા અને હુમલા દરમિયાન જીવ ગુમાવનારા પીડિતો માટે ન્યાયની માંગણી કરવા હાકલ કરી હતી. દર્દનાક યાદોને શેર કરતાં તેમણે કહ્યું કે તમામ પીડિતોની જેમ મેં પણ બધું ગુમાવ્યું છે. મેં મારા બે યુવાન પુત્રો અને પત્ની સહિત મારો પરિવાર ગુમાવ્યો હતો. જ્યારે હું એ અંધકારમય દિવસોને યાદ કરું છું ત્યારે મારો આત્મા કંપી ઉઠે છે. આખી દુનિયાએ આતંકનું તે ભયાનક સ્વરૂપ જોયું જ્યારે 10 આતંકવાદીઓએ મારા દેશ, શહેર અને મારી હોટલ પર હુમલો કર્યો જેમાં 34 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા.

આ ઘટના દરમિયાન અમે ઘણા બહાદુર સાથીદારો ગુમાવ્યા: કરમબીર કાંગ

કાંગે કહ્યું કે તેની સામે તેની પત્ની અને બે પુત્રોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા, પરંતુ મેં તે સમયે પણ હિંમત ન હારી અને અન્ય લોકોને મદદ કરી. મારા ઘણા સ્ટાફે બહાદુરી બતાવી અને ઘણા લોકોના જીવ બચાવ્યા. આ ઘટના દરમિયાન અમે ઘણા બહાદુર સાથીઓ ગુમાવ્યા. તેમણે કહ્યું કે આ આતંકવાદીઓને બ્રેઈન વોશ કરીને હુમલા માટે મોકલવામાં આવ્યા છે. તેમનામાં માનવ જીવનનું મૂલ્ય સમજવાની બુદ્ધિ સમાપ્ત થઈ ગઈ છે. પરંતુ આ હુમલાનું આયોજન અને નાણાં પૂરાં પાડનારાઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ. તમને જણાવી દઈએ કે કાંગ હાલમાં અમેરિકામાં તાજ હોટલની એરિયા ડાયરેક્ટર છે.

એકસાથે મળીને કામ કરવાનો સમય

તેમણે વધુમાં કહ્યું કે, હું આંતરરાષ્ટ્રીય સમુદાયને રાષ્ટ્રીય સ્તરે અને સરહદો પાર ન્યાય પ્રાપ્ત કરવા માટે સાથે મળીને કામ કરવા આહ્વાન કરું છું. કાંગે કહ્યું કે સભ્ય દેશોએ અમારી સાથે જોડાવું જોઈએ અને સુનિશ્ચિત કરવું જોઈએ કે આતંકવાદીઓ માટે કોઈ સુરક્ષિત આશ્રયસ્થાન નથી જેથી આ જઘન્ય અપરાધોને મૂળ ન મળે.

કાંગની હિંમત માટે તેને ફોર્બ્સ પર્સન ઓફ ધ યર જાહેર કરવામાં આવ્યો હતો. કાંગ હાલમાં યુએસમાં તાજ હોટેલ્સની એરિયા ડિરેક્ટર છે. બીજી તરફ, તાજ હોટલના માલિક રતન ટાટાએ હુમલા બાદ કહ્યું કે, `હું કાંગ પાસે ગયો અને તેને કહ્યું કે હું કેટલો દુ:ખી છું, તો તેણે કહ્યું, સર, અમે તાજને પહેલાની જેમ બનાવવા જઈ રહ્યા છીએ. આ જવાબ સાંભળીને ટાટા આશ્ચર્યચકિત થઈ ગયા. તે જ સમયે, ફ્રાન્સના તત્કાલિન રાષ્ટ્રપતિ નિરોલેસ સરકોઝીએ હુમલા દરમિયાન હિંમત દર્શાવવા બદલ કાંગને `ઓફિસર ઓફ નેશનલ ઓર્ડર ઓફ મેરિટ` મેડલથી સન્માનિત કર્યા હતા. હુમલા સમયે હોટલમાં હાજર સેંકડો મહેમાનોમાં ફ્રેન્ચ નાગરિકો પણ હતા.

mumbai news taj hotel