આચારસંહિતાનું ગ્રહણ નડ્યું દાદરના કોહિનૂર પબ્લિક પાર્કિંગ-લૉટને, બંધ થઈ ગયો

04 April, 2024 07:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૦૧૯ના જુલાઈ મહિનામાં એક બિલ્ડરે સુધરાઈને આ સુવિધા નિ:શુલ્ક બાંધી આપી હતી અને બદલામાં તેણે બહુમાળી ઇમારત બાંધવામાં વધારાની સુવિધા મેળવી હતી.

દાદર સ્ટેશનની ફાઇલ તસવીર

દાદરમાં આવેલા કોહિનૂર પબ્લિક પાર્કિંગ-લૉટને લોકસભાની ચૂંટણીની આચારસંહિતાનું ગ્રહણ નડી ગયું છે. હાલમાં જે કૉન્ટ્રૅક્ટર આ પાર્કિંગ-લૉટનું સંચાલન કરતો હતો તેનો કૉન્ટ્રૅક્ટ ૩૧ માર્ચે પૂરો થઈ ગયો છે અને તેથી આ પાર્કિંગ-લૉટ હાલમાં બંધ છે. આચારસંહિતાને કારણે નવા કૉન્ટ્રૅક્ટરની સાથે કૉન્ટ્રૅક્ટ થઈ શક્યો નથી. જોકે સુધરાઈની સ્થાનિક વૉર્ડ-ઑફિસે આ પાર્કિંગ-લૉટ જલદી શરૂ કરાવવા માટેની કવાયત હાથ ધરી છે અને સંબંધિત વિભાગો પાસેથી જરૂરી મંજૂરીઓ મેળવવામાં આવી રહી છે. દાદર વિસ્તારમાં આવતા લોકો માટે આ પાર્કિંગ-લૉટમાં આશરે ૧૦૦૮ કાર-પાર્કિંગની સુવિધા છે અને તેથી લોકો માટે એ સુવિધાજનક છે. ૨૦૧૯ના જુલાઈ મહિનામાં એક બિલ્ડરે સુધરાઈને આ સુવિધા નિ:શુલ્ક બાંધી આપી હતી અને બદલામાં તેણે બહુમાળી ઇમારત બાંધવામાં વધારાની સુવિધા મેળવી હતી.

mumbai news dadar Lok Sabha Election 2024