`મહિલાઓ વિરુદ્ધ અપરાધ એ અક્ષમ્ય પાપ છે’: લખપતિ દીદીની રેલીમાં બોલ્યા પીએમ મોદી

25 August, 2024 06:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પીએમ મોદી (PM Modi in Jalgaon)એ સમારોહ દરમિયાન લોકોને સંબોધિત પણ કર્યા હતા. કોલકાતામાં મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાને લઈને દેશવ્યાપી હોબાળો વચ્ચે પીએમ મોદીએ પણ મહિલાઓ પર થતાં અત્યાચારના મુદ્દે નિવેદન આપ્યું હતું.

પીએમ મોદીની ફાઇલ તસવીર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે મહારાષ્ટ્રના જલગાંવ (PM Modi in Jalgaon) પહોંચ્યા હતા. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ તે 11 લાખ નવી `લખપતિ દીદીઓ`ને પ્રમાણપત્રોથી સન્માનિત કર્યા જેમણે તેમના ત્રીજા કાર્યકાળ દરમિયાન આ પદ હાંસલ કર્યું છે. પીએમ મોદીએ 2,500 કરોડનું રિવોલ્વિંગ ફંડ પણ બહાર પાડ્યું. આનાથી 4.3 લાખ સ્વસહાય જૂથો (SHGs)ના આશરે 48 લાખ સભ્યોને લાભ થશે. પીએમ મોદીએ 5000 કરોડ રૂપિયાની બૅન્ક લોન પણ વહેંચી. તેનાથી 2.35 લાખ એસએચજીના 25.8 લાખ સભ્યોને ફાયદો થશે.

પીએમ મોદી (PM Modi in Jalgaon)એ સમારોહ દરમિયાન લોકોને સંબોધિત પણ કર્યા હતા. કોલકાતામાં મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાને લઈને દેશવ્યાપી હોબાળો વચ્ચે પીએમ મોદીએ પણ મહિલાઓ પર થતાં અત્યાચારના મુદ્દે નિવેદન આપ્યું હતું.

તેમણે (PM Modi in Jalgaon) કહ્યું કે, “માતાઓ, બહેનો અને પુત્રીઓના સશક્તિકરણની સાથે તેમની સુરક્ષા પણ દેશની પ્રાથમિકતા છે. મેં લાલ કિલ્લા પરથી વારંવાર આ મુદ્દો ઉઠાવ્યો છે. આજે દેશની સ્થિતિ ગમે તે હોય, હું મારી બહેનો અને દીકરીઓની પીડા અને ગુસ્સો સમજું છું. હું ફરી એકવાર દેશની દરેક રાજકીય પાર્ટી અને દરેક રાજ્ય સરકારને કહીશ કે મહિલાઓ વિરુદ્ધ અપરાધ એ અક્ષમ્ય પાપ છે. જે પણ દોષિત હોય તેને બક્ષવામાં ન આવે. તેને કોઈપણ રીતે મદદ કરનારાઓને બક્ષવામાં ન આવે. હૉસ્પિટલ હોય, શાળા હોય, સરકાર હોય કે પોલીસ તંત્ર, ગમે તે સ્તરે બેદરકારી થઈ હોય, દરેકને જવાબદાર ઠેરવવા જોઈએ, દરેક વસ્તુનો હિસાબ મળવો જોઈએ. સંદેશ ઉપરથી નીચે સુધી એકદમ સ્પષ્ટ હોવો જોઈએ. આ પાપ અક્ષમ્ય છે. સરકારો આવશે અને જશે, પરંતુ મહિલાઓના જીવનનું રક્ષણ કરવું અને તેમની ગરિમાનું રક્ષણ કરવું એ સમાજ અને સરકાર તરીકે આપણા સૌની મોટી જવાબદારી છે.”

વડાપ્રધાને કહ્યું કે, “આજે દેશની આટલી મોટી સંખ્યામાં બહેનો અને દીકરીઓ અહીં છે. હું તમને આ ખાસ કહેવા માગુ છું. અગાઉ એવી ફરિયાદો હતી કે એફઆઈઆર સમયસર દાખલ કરવામાં આવતી ન હતી, સુનાવણી હાથ ધરવામાં આવતી ન હતી અને કેસોમાં વિલંબ થતો હતો. અમે ભારતીય ન્યાયિક સંહિતામાં આવા ઘણા અવરોધો દૂર કર્યા છે. મહિલાઓ અને બાળકો પર થતા અત્યાચાર અંગે વિગતવાર કાયદો બનાવવામાં આવ્યો છે. જો પીડિત મહિલાઓ પોલીસ સ્ટેશન જવા માગતી નથી, તો તેઓ ઘરે બેઠા ઈ-એફઆઈઆર નોંધાવી શકે છે. અમે એ પણ સુનિશ્ચિત કર્યું છે કે પોલીસ સ્ટેશન સ્તરે કોઈ પણ ઈ-એફઆઈઆર સાથે ચેડાં કરી શકશે નહીં.”

તેમણે કહ્યું કે, “નવા કાયદામાં સગીરો સામેના જાતીય અપરાધો માટે મૃત્યુદંડ અને આજીવન કેદની જોગવાઈ છે. દીકરીઓ સાથે લગ્નના નામે છેતરપિંડીના અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. અગાઉ આ માટે કોઈ સ્પષ્ટ કાયદો નહોતો. હવે ભારતીય ન્યાયિક સંહિતામાં પણ લગ્નના ખોટા વચન અને છેતરપિંડીની સ્પષ્ટ વ્યાખ્યા કરવામાં આવી છે. હું તમને ખાતરી આપું છું કે કેન્દ્ર સરકાર મહિલાઓ પર થતા અત્યાચારને રોકવા માટે દરેક રીતે રાજ્ય સરકારોની સાથે છે. આપણે આ માનસિકતાને ભારતીય સમાજમાંથી ખતમ કરીને અટકાવવી પડશે. તેથી, આજે ભારત વિકાસના પંથે આગળ વધી રહ્યું છે અને તેમાં મહારાષ્ટ્રની મોટી ભૂમિકા છે. મહારાષ્ટ્ર એ વિકસિત ભારતનો ચમકતો સિતારો છે.”

narendra modi jalgaon maharashtra maharashtra news kolkata news india national news