ચર્ચગેટનું નામ ‘બાળ ઠાકરે’ હમણાં નહીં થાય

15 March, 2024 06:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજ્ય સરકારે કૅબિનેટની મીટિંગમાં મુંબઈનાં આઠ રેલવે-સ્ટેશનના નવા નામકરણને મંજૂરી આપી હતી, પરંતુ અન્ય ચાર સ્ટેશનનાં નામ બદલવાના પ્રસ્તાવ મુલતવી રાખ્યા હતા.

બાળાસાહેબ ઠાકરે

રાજ્ય સરકારે કૅબિનેટની મીટિંગમાં મુંબઈનાં આઠ રેલવે-સ્ટેશનના નવા નામકરણને મંજૂરી આપી હતી, પરંતુ અન્ય ચાર સ્ટેશનનાં નામ બદલવાના પ્રસ્તાવ મુલતવી રાખ્યા હતા. જે ચાર સ્ટેશનને રી-નેમ કરવાનું સ્થગિત રાખવામાં આવ્યું છે એમાં ચર્ચગેટ, ગ્રાન્ટ રોડ, બાંદરા ટર્મિનસ અને રે રોડનો સમાવેશ થાય છે. આ સ્ટેશનોને અનુક્રમે બાળાસાહેબ ઠાકરે, ગામદેવી, ડૉ. બાબાસાહેબ આંબેડકર બાંદરા ટર્મિનસ, ઘોડપદેવ નામ આપવાનો પ્રસ્તાવ છે. નાશિક રોડને નાશિક કરવાનો પણ પ્રસ્તાવ હતો. આ તમામ પ્રસ્તાવ શા માટે મુલતવી રાખવામાં આવ્યા છે એનું કારણ સામે આવ્યું નથી.

churchgate bal thackeray mumbai local train mumbai railways mumbai trains mumbai news central railway western railway mumbai grant road bandra terminus nashik