12 March, 2023 08:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આચાર્ય પદવીદાન સમારંભ...
આચાર્ય શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજાના સમુદાયના ગણિવર્ય શ્રી નયપદ્મસાગરસૂરીશ્વરજી મહારાજસાહેબ તથા શ્રી પ્રશાંતસાગરજી મહારાજસાહેબને ગઈ કાલે મુંબઈના મહાલક્ષ્મીમાં આવેલા રેસકોર્સ મેદાનમાં આચાર્ય પદવી પ્રદાન કરવામાં આવી હતી. આ પાવન પ્રસંગે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસ ઉપરાંત બાબા રામદેવ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.