હોટેલિયરોને હેરાન નહીં કરાય: મુખ્ય પ્રધાનની બાંયધરી

11 July, 2024 08:08 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુખ્ય પ્રધાને હોટેલિયરોને ખોટી રીતે હેરાન ન કરવાની સૂચના સંબંધિતોને આપવાનું આશ્વાસન આપ્યું હતું એમ દુર્ગાપ્રસાદ સાલિયને કહ્યું હતું.

એકનાથ શિંદે

મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મહારાષ્ટ્રમાં ગેરકાયદે હોટેલ, પબ અને બાર, ડ્રગ્સની હેરાફેરી કરનારાઓ અને હુક્કાપાર્લર સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યા બાદ રાજ્યભરમાં મોટા પ્રમાણમાં પગલાં લેવામાં આવી રહ્યાં છે. જોકે સ્થાનિક પ્રશાસન દ્વારા હોટેલો પર પણ અયોગ્ય રીતે કાર્યવાહી કરવામાં આવતી હોવાની ફરિયાદ ગઈ કાલે ફેડરેશન ઑફ મહારાષ્ટ્ર હોટેલ્સ ઍન્ડ રેસ્ટોરાં અસોસિએશનના પ્રેસિડન્ટ વિરાર શંકર શેટ્ટી અને સેક્રેટરી દુર્ગાપ્રસાદ સાલિયન સહિતના પ્રતિનિધિમંડળે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરની મુલાકાત દરમ્યાન કરી હતી. મુખ્ય પ્રધાને હોટેલિયરોને ખોટી રીતે હેરાન ન કરવાની સૂચના સંબંધિતોને આપવાનું આશ્વાસન આપ્યું હતું એમ દુર્ગાપ્રસાદ સાલિયને કહ્યું હતું. 

mumbai news mumbai eknath shinde maharashtra news Crime News rahul narwekar