09 September, 2024 09:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પુઢચ્યા વર્ષી લવકર યા ઃ ગઈ કાલે ગિરગામ ચોપાટીમાં ગણરાયાનું વિસર્જન કરી રહેલા BMCના સ્વયંસેવકો. (તસવીર: શાદાબ ખાન)
ગણપતિબાપ્પાનું વિસર્જન કોઈ પણ પ્રકારની મુશ્કેલી વિના પાર પડે એ માટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના ૧૨,૦૦૦ અધિકારીઓ-કર્મચારીઓ ગઈ કાલે દોઢ દિવસના ગણપતિના વિસર્જન માટે ખડેપગે તહેનાત રહ્યાં હતા. આ સિવાય BMCએ ૭૧ કન્ટ્રોલરૂમ, વિસર્જન કરવા માટે ૬૯ કુદરતી સ્થળો અને ૨૦૪ કૃત્રિમ તળાવ બનાવ્યાં છે. ગઈ કાલે ઘરઘરાઉ, સોસાયટી અને સાર્વજનિક મંડળોના કુલ ૫૬,૭૯૦ ગણપતિનું વિસર્જન કરવામાં આવ્યું હતું.