થાણેના આનંદ આશ્રમમાં પૈસા ઉડાવી ડાન્સ કરનાર સામે શિવસેનાએ કરેલી કાર્યવાહી પર સંજય રાઉતની ટીકા

15 September, 2024 04:28 PM IST  |  Thane | Gujarati Mid-day Online Correspondent

Anand Ashram Viral Video: સંજય રાઉતે શિંદે જૂથ પર આરોપ લગાવતા કહ્યું કે તેઓએ આનંદ દિઘે આશ્રમ પર ગેરકાયદેસર કબજો કર્યો છે.

આનંદ આશ્રમમાં ગણેશ વિસર્જન દરમિયાન પૈસાનો વરસાદ કરવામાં આવ્યો હતો (તસવીર: સોશિયલ મીડિયા)

દેશભરમાં ગણેશોત્સવની ઉજવણીનો માહોલ છે, જોકે મહારાષ્ટ્રમાં આ તહેવારે પણ રાજકીય વળાંક લીધો છે. શિવસેનાના બન્ને એકનાથ શિંદે જૂથ અને ઉદ્ધવ ઠાકરે જૂથ (Anand Ashram Viral Video) ગણેશોત્સવને ફરી એક વખત સામસામે આવી ગયા છે. 12 સપ્ટેમ્બર 2024 ના રોજ થાણેના આનંદ આશ્રમમાં ગણપતિ વિસર્જન દરમિયાન એક વિવાદાસ્પદ ઘટના બની હતી, જેમાં શિવસેના શિંદે જૂથના કેટલાક અધિકારીઓ દ્વારા ચલણી નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો.

આ ઘટના ધર્મવીર આનંદ દિઘે સાહેબના આનંદ આશ્રમમાં (Anand Ashram Viral Video) બની હતી, જે શિવસેના માટે પ્રતિષ્ઠિત સ્થળ છે. પૈસા ઉડાવવાને લઈને આ ઘટના સોશિયલ મીડિયા અને સ્થાનિક સમાચારો પર ઝડપથી વાયરલ થઈ હતી. આ વાત વધુ લોકો સુધી પહોંચતા જાહેર અને રાજકીય વર્તુળોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટના માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ તે માત્ર બાહ્ય પગલાં છે એવો દાવો ઉદ્ધવ જૂથ દ્વારા કરવામાં આવી રહ્યો છે.

શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથના વરિષ્ઠ નેતા સંજય રાઉતે (Anand Ashram Viral Video) આ ઘટના પર તીખી પ્રતિક્રિયા આપી અને પૈસા ઉડાવનાર પર આકરી ટીકા કરી. તેમણે કહ્યું, "આ કાર્યવાહી માત્ર એક દેખાવો હતો. થાણે જેવા સમૃદ્ધ શહેરમાં શું થઈ રહ્યું છે? થાણેએ શિવસેનાને સત્તામાં લાવી હતી, અને આજે તે જ શહેરમાં આવી શરમજનક ઘટનાઓ બની રહી છે. આનંદ દિઘે સાહેબને તેમણે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. આ શહેરમાં લોકોને ન્યાય આપો, પરંતુ હવે લેડીઝ બારની જેમ ચલણી નોટો ઉડાડવામાં આવી રહી છે.

સંજય રાઉતે શિંદે જૂથ પર આરોપ લગાવતા કહ્યું કે તેઓએ આનંદ દિઘે આશ્રમ પર ગેરકાયદેસર કબજો કર્યો છે. "આ તમારી અંગત મિલકત નથી, શિવસેનાની મિલકત છે. આનંદ દિઘે (Anand Ashram Viral Video) માત્ર એક વ્યક્તિ નથી, પરંતુ એક વિચારધારા અને જનસેવાનું પ્રતીક છે. આ રીતે તેમના વારસાનું અપમાન કરવું એ માત્ર થાણેનું જ નહીં, પરંતુ સમગ્ર શિવસેના અને દેશનું અપમાન છે.”

રાઉતે શિંદે જૂથની સંસ્કૃતિ પર પણ નિશાન સાધતા કહ્યું કે, "તેમની સંસ્કૃતિ મિંધેની સેનામાંથી આવી છે, જે તેમના મતે શિવસેનાની પરંપરાગત નીતિમત્તા અને મૂલ્યો સાથે મેળ ખાતી નથી.” આ ઘટના બાદ થાણેનું રાજકારણ ગરમાયું છે અને શિવસેનામાં (Anand Ashram Viral Video) અંદરોઅંદર વિવાદ શરૂ થયો છે જેના કારણે રાજકીય વાતાવરણ વધુ તંગ બની ગયું છે.

શિંદે જૂથ અને થાણે શિવસેનાના સાંસદ નરેશ મ્સ્કેએ (Anand Ashram Viral Video) આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી, આ ઘટનાને "અત્યંત અપ્રિય" ગણાવી હતી અને દિઘે જે રીતે આવા પ્રસંગોની ઉજવણી કરી હતી તેનાથી વિપરીત છે, એમ પણ કહ્યું. શનિવારે રાત્રે મ્સ્કે દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ, આ બાબતના સંબંધમાં બન્ને પક્ષના અધકારીઓને બરતરફ કરવામાં આવ્યા છે. જોકે તેમની પોસ્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

shiv sena sanjay raut uddhav thackeray eknath shinde thane mumbai news