પરિવારમાં હું અને અજિત સાથે જ છીએ

24 September, 2024 08:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભત્રીજાના બળવા પછી પોતાના જુદા પક્ષની સ્થાપના કરનારા શરદ પવારે કહ્યું...

અજિત પવાર, શરદ પવાર

ભત્રીજા અજિત પવારે બળવો કર્યો હોવા છતાં નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના સ્થાપક શરદ પવારે ગઈ કાલે કોંકણના ચિપલૂણમાં પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું હતું કે પરિવારમાં હું અને અજિત સાથે જ છીએ. ગયા વર્ષે જુલાઈ મહિનામાં ભત્રીજા અજિત પવારે કાકા શરદ પવાર સામે બળવો કર્યો હતો. લોકસભાની ચૂંટણીમાં અજિત પવારે બારામતીમાં સુપ્રિયા સુળે સામે પોતાનાં પત્ની સુનેત્રાને મેદાનમાં ઉતાર્યાં હતાં એ વિશેના પત્રકારના સવાલના જવાબમાં શરદ પવારે કહ્યું હતું કે અજિત પવાર બીજા પક્ષમાં છે એટલે તેમના નિર્ણય વિશે હું કેવી રીતે કંઈ કહી શકું? મહા વિકાસ આઘાડી આગામી વિધાનસભાની ચૂંટણીમાં મુખ્ય પ્રધાનના ચહેરા વગર લડશે એવો નિર્ણય લેવામાં આવ્યો છે? એના જવાબમાં શરદ પવારે કહ્યું હતું કે ‘મને લાગે છે કે અત્યારે આ અર્જન્ટ પ્રશ્ન નથી. સમાજવાદી અને પીઝન્ટ્સ ઍન્ડ વર્કર્સ પાર્ટીની મદદથી અમારો મહારાષ્ટ્રમાં વિકાસનો વિકલ્પ આપવાનો પ્રયાસ છે.’

mumbai news mumbai ajit pawar sharad pawar nationalist congress party political news