Mumbai: આદિત્ય ઠાકરેએ લોઅર પરેલના ડીલાઇડ રોડ બ્રિજનું કર્યું ઉદ્ઘાટન

17 November, 2023 04:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Aaditya Thackeray Inaugurated: શિવસેના (UBT) વિધેયક આદિત્ય ઠાકરેએ મુંબઈના પૂર્વ મહાપોર અને કાર્યકર્તાઓ સાથે મળીને ગુરુવારે મોડી રાતે લોઅર પરેલમાં ડીલાઈડ રોડ બ્રિજના બીજા કેરિજવેનું ઉદ્ઘાટન કર્યું.

આદિત્ય ઠાકરે (ફાઈલ તસવીર)

શિવસેના (UBT) વિધેયક આદિત્ય ઠાકરેએ મુંબઈના પૂર્વ મહાપોર અને કાર્યકર્તાઓ સાથે મળીને ગુરુવારે મોડી રાતે લોઅર પરેલમાં ડીલાઈડ રોડ બ્રિજના બીજા કેરિજવેનું ઉદ્ઘાટન કર્યું. આ કાર્યવાહી શિવસેના સંસ્થાપક બાળ ઠાકરેની પૂણ્યતિથિની પૂર્વ સંધ્યાએ થઈ. આ અવસરે આદિત્ય ઠાકરે સાથે પૂર્વ મહાપોર કિશોરી પેડણેકર અને સ્નેહલ અંબેકરની સાથે-સાથે વર્લીના પૂર્વ વિધેયક સચિન અહીર અને સુનીલ શિંદે સહિત પાર્ટી નેતા પણ હાજર હતા. (Aaditya Thackeray Inaugurates Lower Parel`s Delisle Road Bridge)

Aaditya Thackeray Inaugurated: ઑફિશિયલ ઉદ્ઘાટનમાં મોડું થવા પર નિરાશા વ્યક્ત કરતા, આદિત્ય ઠાકરેએ એક્સ (પહેલાનું ટ્વિટર) પર એક પોસ્ટ શૅર કરી છે જેમાં તેમણે કહ્યું, "ડીલાઈડ રોડ બ્રિજનું ઉદ્ઘાટન, ખોકે સરકારના વીઆઈપી નહીં જોઈએ, જનતા પરેશાન છે..."

Aaditya Thackeray Inaugurated: જુલાઈ 2018માં, આઈઆઈટી-બીના રિપૉર્ટમાં આને અસુરક્ષિત જાહેર કર્યા બાદ પુલને બંધ કરી દેવામાં આવ્યો હતો. નવા પુલની સમય સીમાને ઘણીવાર બદલવામાં આવી. 1 જૂનના ગણપતરાવ કદમ માર્ગને એન એમ જોશી માર્ગ સાથે જોડનાર પુલની એક સાઈડને આવાગમન માટે ખોલી દેવામાં આવી હતી. 17 સપ્ટેમ્બરના ગણેશ ચતુર્થી પહેલા એક રણનૈતિક પગલાંમાં, બીએમસીએ લોઅર પરેલને કરી રોડ સાથે જોડનારા પુલની બીજી સાઈડનો એક ભાગ ખોલી દેવામાં આવ્યો. પુલનું નિર્માણ સંપૂર્ણ રીતે પૂરું થયા છતાં, બીએમસી અધિકારી બીજા કેરિજવેની અધિકારિક ઉદ્ઘાટન તારીખ વિશે અનિચ્છુક રહ્યા.

Aaditya Thackeray Inaugurated :ઉલ્લેખનીય છે કે શિવસેના (UBT)ના નેતા અને રાજ્યના ભૂતપૂર્વ પ્રધાન આદિત્ય ઠાકરેએ મેટ્રો માટે ચાર અલગ-અલગ કાર શેડ અને કાંજુર માર્ગમાં મેટ્રો 6 માટે માત્ર એક જ કાર શેડ બનાવવા માટે રાજ્યની એકનાથ શિંદે સરકારને ઘેરી છે. તેમણે આરોપ લગાવ્યો કે આનાથી સરકારી તિજોરીને 10,000 કરોડ રૂપિયાનું નુકસાન થશે. આદિત્ય ઠાકરેએ શુક્રવારે માતોશ્રીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે મહા વિકાસ આઘાડી સરકારના કાર્યકાળ દરમિયાન અમે આરે કોલોનીમાં મેટ્રો કાર શેડ બનાવવાના નિર્ણયને રદ કર્યો હતો અને કાંજુરમાર્ગમાં એક સંકલિત કાર શેડ બનાવવાનો નિર્ણય લીધો હતો. પરંતુ શિંદે-ફડણવીસ સરકારે, જે મહા વિકાસ અઘાડી સરકારને પછાડીને સત્તામાં આવી, તેણે કાંજુરમાર્ગને બદલે આરેમાં મેટ્રો કારશેડ બનાવવાનું નક્કી કર્યું. એટલું જ નહીં, હવે આ સરકાર મેટ્રોની ચાર અલગ-અલગ લાઇન માટે ચાર અલગ-અલગ કાર શેડ બનાવવા જઈ રહી છે. આ માટે ચાર અલગ-અલગ કોન્ટ્રાક્ટરોની નિમણૂક કરવામાં આવનાર છે.

આદિત્ય ઠાકરેએ કહ્યું કે મુંબઈના પર્યાવરણ માટે આરેના જંગલને બચાવવાની જરૂર છે. એટલા માટે અમે આરેમાં બનાવવામાં આવનાર મેટ્રો 3ના કાર શેડનો પ્રોજેક્ટ રદ કર્યો હતો. .

આદિત્ય ઠાકરેએ કહ્યું કે અમારી યોજના કાંજુરમાર્ગમાં જ મેટ્રો-3, મેટ્રો-4 અને મેટ્રો-6ના એકીકૃત ડેપો બનાવવાની હતી, પરંતુ શિંદે-ફડણવીસ સરકાર સત્તામાં આવતાની સાથે જ આરેમાં મેટ્રો-3 કારશેડ બનાવવાનું નક્કી કર્યું. આરેમાંથી કાર શેડ હટાવવાનો નિર્ણય મુંબઈના પર્યાવરણ અને આરેના જંગલને બચાવવા માટે લેવામાં આવ્યો હતો.

aaditya thackeray lower parel mumbai news mumbai whats on mumbai mumbai traffic police things to do in mumbai shiv sena eknath shinde maharashtra news