04 September, 2024 01:54 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઘટનાસ્થળ
ન્હાવા શેવાથી પંજાબ જઈ રહેલું એક ટૅન્કર સોમવારે રાતે મધરાત બાદ થાણેના ઘોડબંદર રોડ પર પાટલીપાડા પાસે પલટી ખાઈ ગયું હતું. એને કારણે એમાં રહેલું અમોનિયા સૉલ્યુશન રસ્તા પર ઢોળાઈ ગયું હતું. એ જોખમી જણાતાં ત્યાંનો વાહનવ્યવહાર રોકી દેવામાં આવ્યો હતો અને બ્રિજ પરથી ડાઇવર્ટ કરવામાં આવ્યો હતો. કંપનીના અધિકારીઓને એ વિશે જાણ કરવામાં આવી હતી. તેમના આવ્યા બાદ તેમની દોરવણી હેઠળ અમોનિયાને દૂર કરવામાં આવ્યો હતો અને કન્ટેનરને પણ ખસેડવામાં આવ્યું હતું. મધરાતે ૧૨.૩૦ વાગ્યે બનેલી ઘટનાને કારણે ટ્રાફિકને ડાઇવર્ટ કરાયા બાદ સવારના ચાર વાગ્યા પછી એ રસ્તા પરથી રાબેતા મુજબ વાહનવ્યવહાર ચાલુ કરવામાં આવ્યો હતો.