બોરીવલીમાં મૅનહોલ સાફ કરી રહેલા યુવકે જીવ ગુમાવ્યો

09 August, 2024 08:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

35 વર્ષનો સુનીલ વાકોડે ગઈ કાલે સાફ કરી રહ્યો હતો ત્યારે તે અંદર પડી ગયો હતો

પ્રતીકાત્મક તસવીર

બોરીવલી વેસ્ટમાં શિંપોલી રોડ પરની ગોખલે સ્કૂલની સામે અને અંબાજી મંદિરની બાજુમાં આવેલી ભગત તારાચંદ હોટેલ પાસેનો મૅનહોલ ૩૫ વર્ષનો સુનીલ વાકોડે ગઈ કાલે સાફ કરી રહ્યો હતો ત્યારે તે અંદર પડી ગયો હતો અને મૃત્યુ પામ્યો હતો. ફાયર-બ્રિગેડના પ્રવક્તાના જણાવ્યા મુજબ ગઈ કાલે સાંજે પાંચ વાગ્યે આ ઘટના બની હતી. ફાયર-બ્રિગેડને જાણ કરાયા બાદ સુનીલ વાકોડેને મૅનહોલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો, પરંતુ તેનું મૃત્યુ થઈ ગયું હતું. 

mumbai news mumbai borivali mumbai police mumbai crime branch