દક્ષિણ મુંબઈમાં જૈનોની સામૂહિક મહારથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા

30 September, 2024 10:31 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અ યાત્રા તીનબત્તી-વાલકેશ્વર થઈને માધવબાગ-લાલબાગ ભુલેશ્વર સુધી ગઈ હતી

મહારથયાત્રામાં ભાવિકો

ગઈ કાલે સાઉથ મુંબઈમાં સવારે આચાર્ય શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજા, આચાર્ય શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજા, આચાર્ય શ્રી વિજયશાંતિચંદ્રસૂરીશ્વરજી મહારાજાના સમુદાયના ૫૦થી વધારે સંઘોની મહારથયાત્રા નીકળી હતી જેમાં આચાર્ય ભગવંતો, શ્રમણ-શ્રમણી ભગવંતો સહ અનેક મહાનુભાવો સહિત મોટી સંખ્યામાં ભાવિકો અને આરાધકો ઉલ્લાસપૂર્વક જોડાયા હતા.  આ રથયાત્રા વાલકેશ્વરમાં આવેલા શ્રીપાલ નગર સંઘથી પ્રસ્થાન કરીને તીનબત્તી-વાલકેશ્વર થઈને માધવબાગ-લાલબાગ ભુલેશ્વર સુધી ગઈ હતી. 

mumbai news mumbai jain community gujarati community news kutchi community south mumbai