મુંબઈ આવી રહેલી ગણેશભક્તોની બસ ચોખાના ખેતરમાં ઊંધી વળી

15 September, 2024 06:10 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સાતેક પ્રવાસીને નાની-મોટી ઈજા થવા સિવાય કોઈને ગંભીર માર નહોતો વાગ્યો

અકસ્માતની તસવીર

ગણેશોત્સવમાં ગણપતિબાપ્પાના આગમન માટે ગામમાં ગયેલા કોંકણના ભક્તો મુંબઈ પાછા ફરી રહ્યા છે. ગઈ કાલે સિંધુદુર્ગના શિરોડાથી મુંબઈ આવવા માટે એક પ્રાઇવેટ બસમાં ૬૦ લોકો નીકળ્યા હતા. આજે સવારના આ બસ તુળસ પાસે પહોંચી ત્યારે સામેથી આવી રહેલા વાહનને જગ્યા આપતી વખતે રસ્તામાંથી ઊતરી જતાં ચોખાના ખેતરમાં પલટી ખાઈ ગઈ હતી. બસ ધીમી ગતિએ ચાલતી હતી એટલે સાતેક પ્રવાસીને નાની-મોટી ઈજા થવા સિવાય કોઈને ગંભીર માર નહોતો વાગ્યો.

mumbai news mumbai road accident shirdi ganesh chaturthi