23 October, 2024 07:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
રાજ્યના વિરોધ પક્ષોએ દાવો કર્યો છે કે દરેક લોકસભાની ચૂંટણીમાં તેમને જ્યાંથી લીડ મળી હતી એવા દરેક વિધાનસભા મતદારસંઘમાંથી મોટા પ્રમાણમાં મતદારોનાં નામ રદ કરવામાં આવી રહ્યાં છે. આ વિશે રાજ્યના ચૂંટણીપંચે ખુલાસો કર્યો છે કે કેન્દ્રીય ચૂંટણીપંચના નિર્દેશ મુજબ મતદારયાદીમાં એકથી વધુ નામ તથા શિફ્ટ થઈ ગયેલા કે મૃત્યુ પામેલા લોકોનાં નામ રદ કરવા માટેની પ્રક્રિયા સતત ચાલતી રહે છે. લોકસભાની ચૂંટણી મે મહિનામાં થયા બાદ આ વર્ષના ઑગસ્ટ મહિના સુધીમાં મહારાષ્ટ્રમાં કુલ મતદારોમાંથી ૩.૭૯ લાખ લોકોનાં નામ યાદીમાંથી કાઢવામાં આવ્યાં હતાં. ત્યાર બાદ ૧ સપ્ટેમ્બરથી ૨૦ ઑક્ટોબર દરમ્યાન બીજા ૧.૭૯ લોકોનાં નામ યોગ્ય પ્રક્રિયા કરીને રદ કરવામાં આવ્યાં છે. ક્યાંય એકસાથે મોટી સંખ્યામાં લોકોનાં નામ મતદારયાદીમાં સામેલ નથી કરાયાં અને રદ પણ નથી કરવામાં આવ્યાં. લોકસભાની ચૂંટણી બાદ નવા ૩૬.૩૧ લાખ મતદારોનાં નામ ઉમેરવામાં આવ્યાં છે.