સાળંગપુરમાં હનુમાનદાદાને ૧૨૫ કિલો સુખડીના પ્રસાદનો અન્નકૂટ ધરાવાયો

02 June, 2024 07:28 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

ભાવિકોએ મંદિરમાં હનુમાનદાદાનાં દર્શન કરીને તેમ જ સુખડીના અન્નકૂટને જોઈને ધન્યતા અનુભવી

હનુમાનદાદાને ૧૨૫ કિલો સુખડીના પ્રસાદનો અન્નકૂટ

ગુજરાતમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં આવેલા શ્રીકષ્ટભંજનદેવ હનુમાનમંદિરમાં ગઈ કાલે હનુમાનદાદાને ૧૨૫ કિલો સુખડીના પ્રસાદનો અન્નકૂટ ધરાવાયો હતો. હજારો ભાવિકોએ મંદિરમાં હનુમાનદાદાનાં દર્શન કરીને તેમ જ સુખડીના અન્નકૂટને જોઈને ધન્યતા અનુભવી હતી. મંદિરમાં સવારે ૫.૩૦ વાગ્યે મંગળા આરતી તેમ જ સવારે ૭ વાગ્યે શણગાર આરતી ઉતારવામાં આવી હતી. મંદિર પરિસરમાં આવેલી યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞ યોજાયો હતો.

gujarat news ahmedabad swaminarayan sampraday sarangpur religious places