ઈરાનમાં મોટો અકસ્માત: રાષ્ટ્રપતિને લઈ જતું હેલિકોપ્ટર ક્રેશ થયું, મચી અફરા-તફરી

19 May, 2024 08:27 PM IST  |  Tehran | Gujarati Mid-day Online Correspondent

હેલિકોપ્ટર કાફલા (Major Accident in Iran)નો ભાગ છે જે રાષ્ટ્રપતિના કાફલામાં સામેલ છે. માહિતી એ પણ સામે આવી છે કે ક્રેશ થયા પછી તરત જ હેલિકોપ્ટરનું હાર્ડ લેન્ડિંગ કરવામાં આવ્યું હતું, જેમાં રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રાયસી સવાર હતા

ઈબ્રાહિમ રાયસી

ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીનું હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું છે. એવું કહેવામાં આવ્યું છે કે આ હેલિકોપ્ટર કાફલા (Major Accident in Iran)નો ભાગ છે જે રાષ્ટ્રપતિના કાફલામાં સામેલ છે. માહિતી એ પણ સામે આવી છે કે ક્રેશ થયા પછી તરત જ હેલિકોપ્ટરનું હાર્ડ લેન્ડિંગ કરવામાં આવ્યું હતું, જેમાં રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રાયસી સવાર હતા. રાયસીના કાફલામાં ત્રણ હેલિકોપ્ટર હતા, જેમાંથી એક ક્રેશ થયું છે અને બીજાનું હાર્ડ લેન્ડિંગ થયું છે. ત્રણ હેલિકોપ્ટરમાંથી કયું હેલિકોપ્ટર ક્રેશ થયું છે તેની હજુ પુષ્ટિ થઈ નથી.

રાયસીના હેલિકોપ્ટરનું હાર્ડ લેન્ડિંગ

આંતરરાષ્ટ્રીય મીડિયાના અહેવાલો અનુસાર, ઈરાન (Major Accident in Iran)ના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીને લઈ જઈ રહેલા એક હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ થયું જ્યારે તેમના કાફલામાંનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું. તાત્કાલિક બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું અને બચાવકર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઈરાનના સરકારી ટેલિવિઝન સમાચારે રવિવારે બનેલી આ દુર્ઘટના અંગે માહિતી આપી છે.

અઝરબૈજાન જઈ રહ્યા હતા

એક અહેવાલ અનુસાર, હેલિકોપ્ટર (Major Accident in Iran) સાથે શું થયું તે અંગે તાત્કાલિક કોઈ માહિતી ઉપલબ્ધ નથી, પરંતુ આશા છે કે રાયસી સુરક્ષિત છે. રાયસી ઈરાનના પૂર્વ અઝરબૈજાન પ્રાંત જઈ રહ્યા હતા. 63 વર્ષીય રાયસી ઈરાનના કટ્ટરપંથી નેતા છે જેઓ અગાઉ દેશની ન્યાયતંત્રનું નેતૃત્વ કરી ચૂક્યા છે.

રાયસીને ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખમેનીની નજીક માનવામાં આવે છે અને કેટલાક વિશ્લેષકો કહે છે કે જો તેઓ મૃત્યુ પામે અથવા રાજીનામું આપે તો તેઓ 85 વર્ષીય નેતાનું સ્થાન લઈ શકે છે. હાલમાં તેમના કાફલા સાથે જોડાયેલા આ સમાચાર આખી દુનિયામાં ચર્ચાનો વિષય છે.

દેશને ખતરો હશે તો અમે ઍટમબૉમ્બ પણ બનાવીશું

ઈરાને કહ્યું હતું કે જો અમારા અસ્તિત્વ પર કોઈ ખતરો આવશે તો અમે એનો સામનો કરવા માટે ઍટમબૉમ્બ બનાવીશું. ઈરાનના સુપ્રીમ લીડર આયાતોલ્લા અલી ખોમેનીના ઍડ્વાઇઝર કમાલ ખર્રાજીએ શનિવારે કહ્યું હતું કે ‘અમે પરમાણુ બૉમ્બ બનાવવા માટે કોઈ નિર્ણય લીધો નથી, પણ જો જરૂર પડશે તો અમે અમારો આ સિદ્ધાંત બદલી પણ શકીએ છીએ. જો ઇઝરાયલ અમારી ન્યુક્લિયર ફૅસિલિટીઝ પર હુમલો કરશે તો અમારે અમારી સુરક્ષા માટે આ પગલું ભરવું પડશે.’ હકીકતમાં ઈરાનના સુપ્રીમ લીડર ખોમેનીએ ૨૦૦૩માં પરમાણુ હથિયારો સહિત દરેક એ હથિયારના ઉત્પાદનના વિરોધમાં ફતવો જારી કર્યો હતો જેમાં મોટા પાયે ખુવારી થઈ શકે એમ હતી. ત્યારે ખોમેનીએ કહ્યું હતું કે આવાં હથિયારો બનાવવા ઇસ્લામ મુજબ હરામ છે. જોકે આમ છતાં ૨૦૨૧માં ઈરાનના તત્કાલીન ઇન્ટેલિજન્સ મિનિસ્ટરે કહ્યું હતું કે પશ્ચિમી દેશો તરફથી વધી રહેલા દબાણને કારણે આ ફતવાને પલટી શકાય એમ છે. એમ પણ જાણવા મળે છે કે ઈરાન યુરેનિયમને ૬૦ ટકા સુધી એનરિચ કરી રહ્યું છે અને એની ગુણવત્તામાં સુધારો આવી રહ્યો છે. હથિયારોમાં વપરાતા યુરેનિયમને ૯૦ ટકા સુધી એનરિચ કરવામાં આવે છે. જાન્યુઆરી મહિનામાં યુનાઇટેડ નેશન્સના ન્યુક્લિયર ઇન્સ્પેક્ટર ડેવિડ અલ્બ્રાઇટે દાવો કર્યો હતો કે ઈરાન કેટલાક દિવસોમાં ઍટમબૉમ્બ બનાવી શકે છે. એ પાંચ મહિનામાં ૧૨ બૉમ્બ બનાવી શકે છે.

iran india international news