SCO શિખર સંમેલનમાં પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફને મળ્યા વિદેશપ્રધાન જયશંકર

16 October, 2024 12:04 PM IST  |  Pakistan | Gujarati Mid-day Correspondent

આ મુલાકાતમાં જયશંકર પાકિસ્તાન સાથે કોઈ પણ દ્વી-પક્ષીય વાતચીત કરવાના નથી

એસ. જયશંકર પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફને મળ્યા

પાકિસ્તાનમાં આયોજિત શાંઘાઈ કો-ઑપરેશન ઑર્ગેનાઇઝેશન (SCO)ના શિખર સંમેલનમાં ભારતના વિદેશપ્રધાન એસ. જયશંકર પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફને મળ્યા હતા અને તેમની સાથે મુલાકાત પણ કરી હતી. આ સમયે શાહબાઝ શરીફે આગળ આવીને જયશંકર સાથે હાથ મિલાવ્યા હતા અને બન્ને નેતાઓ વચ્ચે થોડી વાતચીત પણ થઈ હતી. SCO સમિટના
એક દિવસ પહેલાં વિદેશી નેતાઓ માટે ડિનરની વ્યવસ્થા હતી એ સમયે શરીફ બધા નેતાઓનું સ્વાગત કરતા હતા. આ મુલાકાતમાં જયશંકર પાકિસ્તાન સાથે કોઈ પણ દ્વી-પક્ષીય વાતચીત કરવાના નથી. નવ વર્ષ બાદ ભારતના વિદેશપ્રધાન પાકિસ્તાન ગયા છે.

international news world news pakistan s jaishankar india