કરાચીમાં ધક્કામુક્કીને કારણે ૧૨ જણનાં મૃત્યુ

01 April, 2023 11:26 AM IST  |  Islamabad | Gujarati Mid-day Correspondent

તાજેતરમાં થયેલી આ પ્રકારની ધક્કામુક્કીને કારણે મૃત્યુ પામનારાઓની સંખ્યા વધીને ૨૨ થઈ છે. 

પ્રતિકાત્મક તસવીર

કરાચી (પી.ટી.આઇ.)ઃ પાકિસ્તાનના કરાચીમાં ગઈ કાલે રમઝાનમાં ભોજન વહેંચવાના કેન્દ્રમાં ભારે ધક્કામુક્કીને કારણે બાળકો અને મ​હિલાઓ સહિત ઓછામાં ઓછા ૧૨ જણનાં મૃત્યુ થયાં હતાં અને અન્ય અનેકને ઈજા થઈ હતી. કેટલાક લોકોએ અજાણતાં લાઇવ વાયર પર પગ મૂકતાં આ ધક્કામુક્કી થઈ હતી અને કેટલાક લોકો પાસેની ગટરમાં પડ્યા હતા. પાકિસ્તાનમાં અનાજ, શાકભાજી અને ફળોનું સંકટ હોવાથી ફ્રીમાં ફૂડ વહેંચવાનાં 
સેન્ટર્સ ઊભાં કરાયાં છે, જ્યાં તાજેતરમાં થયેલી આ પ્રકારની ધક્કામુક્કીને કારણે મૃત્યુ પામનારાઓની સંખ્યા વધીને ૨૨ થઈ છે. 

world news pakistan karachi