અમે‌રિકાના શ્રદ્ધાળુએ સાળંગપુર હનુમાનજી મંદિરના ભોજનાલય માટે ૧,૧૧,૧૧,૧૧૧ રૂપિયાનું દાન કર્યું

04 March, 2023 11:48 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

ઉલ્લેખનીય છે કે હનુમાનજી મંદિર પરિસરમાં ગુજરાતનું સૌથી મોટું ભોજનાલય બની રહ્યું છે, જેમાં એકસાથે અંદાજે ૮૦૦૦ ભાવિકો બેસીને ભોજન-પ્રસાદ લઈ શકે એટલી ક્ષમતા છે

અમે‌રિકાના શ્રદ્ધાળુએ સાળંગપુર હનુમાનજી મંદિરના ભોજનાલય માટે ૧,૧૧,૧૧,૧૧૧ રૂપિયાનું દાન કર્યું

અમદાવાદ : ગુજરાતમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં આવેલા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર પરિસરમાં બની રહેલા ગુજરાતના સૌથી મોટા ભોજનાલય માટે મૂળ અમદાવાદના અને અમેરિકામાં રહેતા ઉદ્યોગપતિ મનન શાહે ૧,૧૧,૧૧,૧૧૧ રૂપિયાનું દાન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે હનુમાનજી મંદિર પરિસરમાં ગુજરાતનું સૌથી મોટું ભોજનાલય બની રહ્યું છે, જેમાં એકસાથે અંદાજે ૮૦૦૦ ભાવિકો બેસીને ભોજન-પ્રસાદ લઈ શકે એટલી ક્ષમતા છે.

gujarat gujarat news ahmedabad united states of america