ચારૂસેટમાં ગુજરાતનું પ્રથમ ‘એપ્લાઇડ બ્લોકચેઇન સેન્ટર’ સ્થપાશે

21 September, 2024 07:00 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

Charotar University of Science and Technology: ચારૂસેટ યુનિવર્સિટી અને ઇન્ફોર્મેશન ડેટા સિસ્ટમ્સ વચ્ચે ‘એપ્લાઇડ બ્લોકચેઇન સેન્ટર’ સ્થાપવા એમઓયુ

ચારૂસેટમાં ગુજરાતનું પ્રથમ ‘એપ્લાઇડ બ્લોકચેઇન સેન્ટર’ સ્થપાશે

વિશ્વવિખ્યાત ચારૂસેટ યુનિવર્સિટીમાં ગુજરાતનું પ્રથમ ‘એપ્લાઇડ બ્લોકચેઇન સેન્ટર’ (Charotar University of Science and Technology) સ્થાપવામાં આવશે. ચારૂસેટ યુનિવર્સિટીએ ઇન્ફોર્મેશન ડેટા સિસ્ટમ્સ (IDS) સાથે મળીને ગુજરાતનું પ્રથમ એપ્લાઇડ બ્લોકચેઇન સેન્ટર (ABC) સ્થાપવા માટે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. તાજેતરમાં ચારૂસેટમાં આયોજિત એમઓયુ હસ્તાક્ષર  સમારોહ દરમિયાન ચારૂસેટના રજિસ્ટ્રાર ડૉ. અતુલ પટેલ અને IDSના હેડ ઓફ ઇન્ડિયા ઓપરેશન્સ હિતેન્દ્ર સોલંકી દ્વારા MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

ચારૂસેટના પ્રોવોસ્ટ ડૉ. આર. વી. ઉપાધ્યાય, ટેકનોલોજી અને એન્જિનિયરિંગ ફેકલ્ટીના ડીન ડૉ. વિજય ચૌધરી, ચંદુભાઈ એસ. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (CSPIT)ના પ્રિન્સિપાલ ડૉ. તૃષિત ઉપાધ્યાય અને CSPITના કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (Charotar University of Science and Technology) વિભાગના વડા ડૉ. અમિત ઠક્કરની ઉપસ્થિતિમાં એમઓયુ હસ્તાક્ષર સમારોહ યોજાયો હતો.

આ સમારોહનું સંચાલન CSPIT ના કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ વિભાગના આસીસ્ટન્ટ પ્રોફેસર વિદિષા પ્રધાન (Charotar University of Science and Technology) અને યુનિવર્સિટી ઇન્ડસ્ટ્રી ઇન્ટરએક્શન સેલ (UIIC), ચારૂસેટના આસીસ્ટન્ટ પ્રોફેસર  માધવ ઓઝા દ્વારા કરવામાં આવ્યું હતું. આ વ્યુહાત્મક ભાગીદારી વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોને સતત ઝડપી ગતિએ વિકસતી જતી બ્લોકચેઇન ટેક્નોલોજીના ક્ષેત્રમાં સંશોધન અને નવીનતા માટે સશક્ત બનાવશે. એપ્લાઇડ બ્લોકચેઇન સેન્ટર (ABC) વિદ્યાર્થીઓને હેન્ડ્સ-ઓન પ્રેક્ટિકલ ટ્રેઈનીંગ, વૈશ્વિક માન્યતા અને વૈવિધ્યસભર બ્લોકચેઇન કોમ્યુનિટીમાં સહકાર સાધવાના અવસર પ્રદાન કરશે.

ઉલ્લેખનીય છે કે આ સહયોગ ચારૂસેટને બ્લોકચેઇન ઇનોવેશનના (Charotar University of Science and Technology) કેન્દ્ર તરીકે સ્થાપિત કરશે, જે વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોને આ પરિવર્તનકારી ટેકનોલોજીમાં ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરવાના નવા દ્વાર ખોલશે.

ગુજરાતના બીજા સમાચાર

મધ્ય ગુજરાતમાં વડોદરા જિલ્લામાંથી પસાર થતી નર્મદાની શાખાનહેરો પર ૧૩ કિલોમીટર લાંબી સોલર પૅનલો બેસાડી કરોડો રૂપિયાની વીજળી ઉત્પન્ન કરવામાં આવી રહી છે. સમા, નિમેટા અને રવાલમાંથી પસાર થતી કનૅલ પર લગાડવામાં આવેલી સોલર પૅનલ થકી અત્યાર સુધીમાં ૨૯.૫૧ મિલ્યન યુનિટ વીજળીનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. સરદાર સરોવર નિગમ દ્વારા વર્ષ ૨૦૧૫માં સમા કનૅલ ખાતે ૩૩,૮૧૬ સોલર પૅનલ મૂકવામાં આવી છે અને અત્યાર સુધીમાં ૪.૨૩ મિલ્યન યુનિટ વીજળીનું ઉત્પાદન (Charotar University of Science and Technology) થયું છે. નિમેટા પાસે કનૅલ પર ૧૦ મેગાવૉટના પ્લાન્ટમાં ૩૩,૦૮૦ સોલર પૅનલ બેસાડવામાં આવી છે. આ ઉપરાંત સરદાર સરોવર નિગમ દ્વારા કનૅલ પાસે પડતર રહેલી જમીનમાં પણ પાંચ મેગાવૉટની ક્ષમતા ધરાવતો સોલર પ્લાન્ટ છે. આ બન્ને પ્લાન્ટ ૨૦૧૭થી કાર્યરત છે અને અત્યાર સુધીમાં ૧૫.૯૭ મિલ્યન યુનિટ વીજળીનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. વાઘોડિયા તાલુકાના રવાલ પાસેથી પસાર થતી શાખાનહેરના કાંઠા પર સોલર પ્લાન્ટ નાખવામાં આવ્યો છે. અહીં ૧૦ મેગાવૉટના પ્લાન્ટ માટે ૩૩,૬૦૦ સોલર પૅનલ બેસાડવામાં આવી છે. ૨૦૧૭થી અહીં કાર્યરત પ્લાન્ટમાં ૯.૩૧ મિલ્યન યુનિટ વીજળીનું ઉત્પાદન થયું છે.

gujarat gujarat news Education gujarati community news ahmedabad