ઈન્દોરની ૬૫ રસોઈયાની ટીમ બનાવશે 2,500 વાનગીઓ, જુઓ અનંત અંબાણીના પ્રી-વેડિંગનું મેન્યૂ

27 February, 2024 08:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને 1થી 3 માર્ચ દરમિયાન ગુજરાતના જામનગરમાં લગ્ન પહેલાંના સમારોહમાં આમંત્રિત મહેમાનો માટે વિસ્તૃત મેનુ તૈયાર કરવામાં આવ્યું છે

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની ફાઇલ તસવીર

મુકેશ અને નીતા અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી (Anant Ambani`s Pre-Wedding Menu) આવતા મહિને એન્કોર હેલ્થકેરના સીઈઓ વિરેન મર્ચન્ટ અને ઉદ્યોગસાહસિક શૈલા મર્ચન્ટની નાની પુત્રી રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને 1થી 3 માર્ચ દરમિયાન ગુજરાતના જામનગરમાં લગ્ન પહેલાં (Anant Ambani`s Pre-Wedding Menu)ના સમારોહમાં આમંત્રિત મહેમાનો માટે વિસ્તૃત મેનુ તૈયાર કરવામાં આવ્યું છે.

અનેક મોટી હસ્તીઓ સામેલ થશે

ઈન્ડિયા ટુડે અનુસાર, આ ભવ્ય કાર્યક્રમમાં 1,000થી વધુ મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા છે અને વીવીઆઈપી યાદીમાં બિલ ગેટ્સ અને માર્ક ઝકરબર્ગ સહિત ઘણી મોટી હસ્તીઓનો સમાવેશ થશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મહેમાનોને સ્વાદિષ્ટ વાનગીઓ પીરસવા માટે મધ્યપ્રદેશના ઈન્દોરથી 65 રસોઈયા (Anant Ambani`s Pre-Wedding Menu)ની વિશેષ ટીમને આ વિશેષ કાર્યક્રમની જવાબદારી સોંપવામાં આવી છે.

મેનુમાં શું હશે?

મેનુમાં ઈન્દોરી ફૂડ પર ખાસ ધ્યાન આપવામાં આવશે. આ ફેસ્ટિવલમાં પાન-એશિયન ભોજન ઉપરાંત પારસી ફૂડ, થાઈ, મેક્સિકન અને જાપાનીઝ ફૂડ પણ સામેલ હશે. ત્રણ દિવસીય ઇવેન્ટ દરમિયાન કુલ 2,500 વાનગીઓ મેન્યૂ પર હશે અને તેમાંથી કોઈ પણ ભવ્ય કાર્યક્રમ દરમિયાન પુનરાવર્તિત થશે નહીં.

નાસ્તા માટે 75થી વધુ પ્રકારના વિકલ્પો

નાસ્તામાં 75થી વધુ પ્રકારના ફૂડ ઑપ્શન્સ હશે, જ્યારે લંચમાં 225થી વધુ પ્રકારની વાનગીઓ પીરસવામાં આવશે. સાથે જ રાત્રિભોજનમાં 275 પ્રકારની વાનગીઓ અને મધ્યરાત્રિના ભોજનમાં 85 પ્રકારની વસ્તુઓનો સમાવેશ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મધ્યરાત્રિ દરમિયાન ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને મધ્યરાત્રિના 12 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધી ભોજન પીરસવામાં આવશે. મહેમાનો માટે શાકાહારી ખોરાકના વિકલ્પો માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

જામનગરમાં થશે લગ્ન

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઈ 19 જાન્યુઆરી, 2023ના રોજ નાથદ્વારામાં ગોળધાણા સમારોહમાં થઈ હતી અને બંને ગુજરાતના જામનગરમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. CNBC 18 સાથેની મુલાકાતમાં, અનંત અંબાણીએ જામનગરને લગ્ન સ્થળ તરીકે પસંદ કરવા પાછળના કારણોની ચર્ચા કરી હતી. અનંત અંબાણીએ કહ્યું કે, “મારા દાદી જામનગરના છે. મારી માતાએ આખા શહેરની સ્થાપના કરી છે. મેં અહીં બાળપણમાં ઘણો સમય વિતાવ્યો છે.”

તેમણે કહ્યું કે, “મુંબઈ મારું ઘર છે પણ મારું હૃદય જામનગરમાં છે. મારા માતા-પિતા અને દાદીએ પણ અમે જામનગરને સ્થળ તરીકે પસંદ કરવાનું સૂચન કર્યું હતું. તે મને મારા સાથીદારો અને હું જેની સાથે કામ કરું છું તેવા અન્ય લોકો સાથે ઉજવણી કરવાની તક પણ આપશે.”

Anant Ambani nita ambani mukesh ambani jamnagar gujarat news