૧૦,૦૦૦ દીવડાઓની રોશનીમાં ઝળહળી ઊઠ્યું ગાંધીનગરનું અક્ષરધામ

12 November, 2023 11:59 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

દિવાળી પર્વની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે દેશ અને વિદેશોમાં આવેલાં તમામ બીએપીએસ સ્વામીનારાયણ મંદિરોમાં દીપોત્સવ પર્વની ઉજવણી શરૂ થઈ છે.

૧૦,૦૦૦ દીવડાઓની રોશનીમાં ઝળહળી ઊઠ્યું ગાંધીનગરનું અક્ષરધામ

   
દિવાળી પર્વની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે દેશ અને વિદેશોમાં આવેલાં તમામ બીએપીએસ સ્વામીનારાયણ મંદિરોમાં દીપોત્સવ પર્વની ઉજવણી શરૂ થઈ છે. એમાં ખાસ કરીને ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આવેલા અક્ષરધામમાં ૧૦,૦૦૦ દીવડાઓની રોશની કરવામાં આવી હતી. હજારો દીપ પ્રજ્વલીત થતાં અક્ષરધામ પરિસર જ્યોતના પ્રકાશથી ઝગમગી ઊઠ્યો હતો. દીવડાઓનો ઝળહળતો પ્રકાશ જોઈને હરિભક્તો દંગ રહી ગયા હતા અને દીવડાઓની રોશની જોઈને ધન્યતા અનુભવી હતી. મુલાકાતીઓ ૧૯ નવેમ્બર સુધી આ દિવ્ય દૃશ્યના સાક્ષી બની શકશે. મંદિરમાં દર્શન કરનારા ભક્તોએ જણાવ્યું હતું કે અહીં તેમણે એક અનોખો જ દિવ્ય અનુભવ કર્યો હતો.

gujarat news diwali gandhinagar