ગુજરાતમાં સાઇબર ક્રાઇમનો ભોગ બનેલાં ૨૮,૦૦૦ બૅન્ક-અકાઉન્ટ અનફ્રીઝ થયાં

03 August, 2024 07:03 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

આખા અકાઉન્ટને બદલે માત્ર છેતરપિંડી સાથે સંકળાયેલી ચોક્કસ રકમ જ ફ્રીઝ થશે

પ્રતીકાત્મક તસવીર

ગુજરાત પોલીસે સાઇબર ક્રાઇમનો ભોગ બનેલા હજારો મધ્યમવર્ગીય લોકોની પીડાને ઘટાડવાનો પ્રયાસ કરતાં સાઇબર ક્રાઇમની તપાસમાં પીડિતોના સહયોગને કારણે અગાઉ લૉક થઈ ગયેલાં ૨૮,૦૦૦ બૅન્ક-અકાઉન્ટ હવે અનફ્રીઝ કરવામાં આવ્યાં છે.

ગુજરાતના ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ‘પોલીસે અકાઉન્ટ ફ્રીઝ કરવા વિશેની પૉલિસીમાં સુધારો કર્યો છે. નવી પૉલિસી અસરકારક રીતે ગુનો નિવારણ અને નિર્દોષ પક્ષો પર નાણાકીય બોજ ઘટાડવા વચ્ચે સંતુલન જાળવવા માટેનું એક મહત્ત્વપૂર્ણ પ્રથમ પગલું છે જે કુલ રકમને બદલે ખાતાના એ ભાગને ફ્રીઝ કરે છે જે છેતરપિંડીથી અસરગ્રસ્ત હોય. તેઓ હવે આખા અકાઉન્ટને બદલે માત્ર છેતરપિંડી સાથે સંકળાયેલી ચોક્કસ રકમ જ ફ્રીઝ કરશે. આ ફેરફારનો હેતુ મધ્યમવર્ગની વ્યક્તિઓ પરના નાણાકીય તણાવને ઘટાડવાનો છે જેઓ આખું બૅન્ક-અકાઉન્ટ લૉક થઈ જવાને કારણે મોટી મુશ્કેલીનો સામનો કરે છે.’ 

gujarat news ahmedabad cyber crime gujarat Crime News harsh sanghavi