મૌસીમા મંદિરા કુ જૈથિલે કી?

07 July, 2024 02:30 PM IST  |  Mumbai | Alpa Nirmal

દુર્ગામાનું એક સ્વરૂપ કહેવાતાં અર્ધશોષિની દેવીએ સંપૂર્ણ શ્રીક્ષેત્રની સુરક્ષા કરી હોવાથી તેમને પુરીનાં સંરક્ષકનું બિરુદ પણ મળ્યું છે. કેટલાકના મતે અર્ધશોષિની માતા જ ભગવાનનાં માસી છે

મૌસીમાનું મંદિર

આજે જગન્નાથજીની રથયાત્રા નીકળશે. અષાઢ સુદ દસમે તેઓ પાછા સ્વગૃહે ફરશે. ગુંડીચા મંદિરથી શ્રીમંદિર પાછા આવવાની રથયાત્રા એ બહુડા યાત્રા. ગયા અઠવાડિયે આપણે જગન્નાથજીની પાછા ફરવાની બહુડા યાત્રાની માનસ યાત્રા કરી. આ યાત્રામાં એક હટકે વિધિ થાય છે. મહાપ્રભુ, બલભદ્ર અને સુભદ્રાના રથ મૌસીમાના મંદિરે રોકાય છે. મૌસીમા ભાણેજોને પોડા પીઠાનો પ્રસાદ ધરે છે, બીડું અર્પણ કરે છે, પછી ત્રણેય ભાંડરડાંઓ રથમાં આગળ વધે છે.

ઓહો!! તો તો આ મૌસીમા બહુ મહત્ત્વનાં હોવાનાં. કારણ કે ખુદ જગતના નાથ અહીં સામેથી આવે અને રોકાય એ કોઈ સામાન્ય ઘટના નથી.

અર્ધશોષિની દેવી તરીકે પણ જાણીતાં આ મૌસીમા કા કાળિયા ઠાકુર કે સાથ બહોત ગહેરા ઔર પુરાના નાતા હૈ... આસાન્તુ જાનિબા.

પૌરાણિક કથાઓ