Bhai Dooj 2023: 14 કે 15 નવેમ્બર? આ મુહૂર્ત છે ભાઈબીજની ઉજવણી માટે શ્રેષ્ઠ!

13 November, 2023 01:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Bhai Dooj 2023: 14 નવેમ્બરના રોજ બપોરથી જ બહેનો તેમના ભાઈના કપાળ પર તિલક લગાવી શકે છે અને કાંડા પર રક્ષા સૂત્ર બાંધી શકે છે.

ભાઈબીજની પ્રતિકાત્મક તસવીર

ભાઈ-બહેનના સંબંધોના પ્રતીક તરીકે ભાઈબીજ (Bhai Dooj 2023)નો તહેવાર ઉજવવામાં આવે છે. સમગ્ર દેશમાં ખૂબ જ ધામધૂમથી આ ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે બહેનો તેમના ભાઈના લાંબા આયુષ્ય અને સુખ-સમૃદ્ધિની કામના કરે છે. આ શુભ અવસર પર બહેનો ભાઈના કપાળ પર ચાંદલો કરે કે અને હાથમાં રક્ષા સૂત્ર પણ બાંધે છે. ભાઈઓ પણ તેમની બહેનોને ભેટ આપે છે. જો કે, આ વર્ષે ભાઈબીજની તારીખને લઈને લોકોને ઘણી મૂંઝવણ થઈ રહી છે. 

ક્યારે છે શુભ મુહૂર્ત?

પંચાંગ અનુસાર કારતક માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ 14 નવેમ્બરે બપોરે 02.36 કલાકે છે. ત્યારબાદ દ્વિતિયા તિથિ શરૂ થઈ રહી છે. કારતક માસના શુક્લ પક્ષની દ્વિતિયા તિથિ 14મી નવેમ્બરે બપોરે 02:36 વાગ્યાથી શરૂ થઈને બીજા દિવસે એટલે કે 15મી નવેમ્બરે બપોરે 01:47 વાગ્યા સુધી ચાલશે. આ તહેવાર દિવસ દરમિયાન ઉજવવામાં આવે છે. તેથી, 14 નવેમ્બરના રોજ બપોરથી જ બહેનો તેમના ભાઈના કપાળ પર તિલક લગાવી શકે છે અને કાંડા પર રક્ષા સૂત્ર બાંધી શકે છે. એકંદરે, અનુકૂળતા મુજબ બહેનો પોતાના ભાઈઓને 14મી નવેમ્બરથી 15મી નવેમ્બર સુધી બપોરે 01:47 વાગ્યા સુધી ભાઈબીજ (Bhai Dooj 2023)ની ઉજવણી કરી શકે છે. 

ભાઈની પૂજા કરવા માટેનો શુભ સમય કયો છે?

ભાઈબીજ (Bhai Dooj 2023)ના દિવસે ભાઈને તિલક કરવા માટેનો શુભ સમય બપોરે 01:10થી 03:19 સુધીનો માનવામાં આવે છે. આ સમય દરમિયાન બહેનો તેમના ભાઈના સુખ, સમૃદ્ધિ અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી શકે છે. આ દિવસે યમ દ્વિતિયા પણ મનાવવામાં આવશે. એક ધાર્મિક માન્યતા છે કે કારતક માસના શુક્લ પક્ષની બીજી તારીખે ભગવાન યમ પોતાની બહેન યમુનાના ઘરે ગયા હતા. આ રીતે દિવાળીના તહેવાર સાથે ભાઈબીજના તહેવારનું પણ મહત્વ છે. 

દિવાળીનો દિવસ વીતી ગયો; પરંતુ દીપોત્સવના કેટલાક તહેવારો હજુ બાકી છે. ધનતેરસથી શરૂ થયેલો રોશનીનો તહેવાર ભાઈબીજના દિવસે સમાપ્ત થાય છે. કારતક માસના શુક્લ પક્ષની બીજી તારીખે ભાઈબીજ આવે છે. આ તહેવાર ભાઈ અને બહેન વચ્ચેના અતૂટ પ્રેમને વધુ મજબૂત કરવા માટે ઉજવવામાં આવે છે. આ દિવસે બહેનો તેમના ભાઈઓને તિલક લગાવે છે. યમરાજ અને માતા યમુનાની પૌરાણિક કથા પણ ભાઈ બીજના તહેવાર સાથે જોડાયેલી છે.

બહેનોએ કઈ રીતે ભાઈઓને તિલક કરવો? 

આ દિવસે ખાસ કરીને કાળા રંગના વસ્ત્રો પહેરવામાં આવે છે. ભાઈ બીજના તહેવાર પર તિલક કરતા પહેલા ભગવાન યમરાજ અને માતા યમુનાનું ધ્યાન કરવું શુભ માનવામાં આવે છે. ત્યારબાદ ભાઈના કપાળ પર તિલક અને ચોખા લગાવવા જોઈએ. પછી એકબીજાને મીઠાઈ ખવડાવવી. બહેનો તેમના ભાઈઓને સૂકું નાળિયેર પણ આપે છે, જ્યારે ભાઈઓ તેમની બહેનોને તેમની મનગમતી ભેટ આપતા હોય છે. આ રીતે ભાઈબીજ (Bhai Dooj 2023)ની ઉજવણી કરવામાં આવે છે.

bhai dooj diwali life and style