ભૂતકાળમાં કરેલું મારું કામ લોકો ભૂલી ગયા છે

13 June, 2024 11:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વેબ-સિરીઝ ‘પંચાયત’ને કારણે મળેલી સફળતા વિશે રઘુબીરે કહ્યું...

રઘુબીર યાદવ

વેબ-સિરીઝ ‘પંચાયત’ લોકોને ખૂબ પસંદ પડી છે. એમાં પ્રધાનજીના રોલમાં રઘુબીર યાદવ ચમકી ગયા છે. એનો ત્રીજો પાર્ટ પણ હાલમાં ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર દેખાડવામાં આવી રહ્યો છે. રઘુબીરને લોકો પ્રધાનજી કહીને બોલાવે છે એની તેમને ખુશી થાય છે. એ વિશે રઘુબીર કહે છે, ‘ભૂતકાળમાં મેં જે કાંઈ કામ કર્યું છે એ તો લોકો ભૂલી ગયા છે. હું જ્યાં પણ જાઉં છું લોકો મને પ્રધાનજી કહીને બોલાવે છે. વારાણસીમાં હું શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે પણ લોકો પૂછી રહ્યા હતા કે પ્રધાનજી શું કરી રહ્યા છે?’

panchayat web series entertainment news