TMKOC: જેઠાલાલે બબીતાજી માટે ચંદ્ર પર ખરીદ્યો પ્લોટ, પણ...

30 October, 2023 05:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

છેલ્લાં ૧૪ વર્ષોથી દર્શકોનું મનોરંજન કરતી સીટકોમ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)માં એક નવો વળાંક આવવા જઈ રહ્યો છે

તસવીર સૌજન્ય: પીઆર

છેલ્લાં ૧૫ વર્ષોથી દર્શકોનું મનોરંજન કરતી સીટકોમ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)માં એક નવો વળાંક આવવા જઈ રહ્યો છે. સિરિયલના છેલ્લા એપિસોડ્સમાં જેઠાલાલે (Jethalal) ચૂકવણીની શરતો પર પ્રારંભિક તકરાર હોવા છતાં, બબીતાજી (Babitaji)ની મદદ સાથે ગડા ઈલેક્ટ્રોનિક્સ માટે મહત્વપૂર્ણ વેપાર સોદો કર્યો છે. આખરે, બંને પક્ષોએ ચુકવણી મામલે સમાધાન કર્યું અને ઔપચારિક રીતે સોદો સીલ કર્યો હતો. જોકે, આખરે આ સોદો શેનો છે તે વિશે હજી પણ અટકળો છે.

જેમ-જેમ સ્ટોરીલાઇન (TMKOC) ખૂલી રહી છે, પ્રેક્ષકોને એક નવો નાટકીય વળાંક મળી રહ્યો છે. કારણ કે વિકી, ગાડા ઇલેક્ટ્રોનિક્સમાં પરિણામલક્ષી પ્રદર્શન કરે છે. એક સીનમાં તે નાટકીય રીતે જેઠાલાલ માટે બનાવાયેલ ચેકને નાટકીય રીતે ફાડી નાખતો દેખાય છે. જોકે, આ કોયડો ત્યારે ઉકેલાય છે જ્યારે તે જાહેર થાય છે કે વિકી પાસે તેની ક્રિયાઓ માટે કાયદેસર તર્ક હતો, તેણે આરટીજીએસની અત્યાધુનિક ચેનલ દ્વારા ચુકવણીનો કરવાનું પસંદ કર્યું હતું.

આખરે આ ડિલ થવાથી જેઠાલાલ ખૂબ જ ખુશ છે. જેઠાલાલ જે પળની વર્ષોથી રાહ જોઈ રહ્યા છે, આખરે તે પળ આવી ગઈ છે. બબીતાજીની મદદથી જેઠાલાલ ડિલ તો મેળવી લે છે, પણ બબીતાનો આભાર માનવા માટે તે કંઈક એવું કરે છે જે ક્યારેય કોઈએ વિચાર્યું ન હોય.

સિરિયલના ટ્રેકમાં જેઠાલાલ તેમના પરમ મિત્ર તારક મહેતાને વિનંતી કરે છે અને બબીતાજી માટે કંઈક અનોખી ગોફટ ગિફ્ટ વિચારવાનું કહે છે. તારક મહેતા સાથેની ચિંતનશીલ અને ભાવુક વાતચીત બાદ જેઠાલાલને અનોખી ગિફ્ટ આઇડિયા મળે છે. જેઠાલાલ દરેકને આશ્ચર્યચકિત કરવાનું નક્કી કરે છે અને તેમનો આઇડિયા અમલમાં મૂકે છે.

ચંદ્ર પર પ્લોટ ખરીદ્યો

જેઠાલાલ ફૂલદસ્તો, મીઠાઇ, ચોકલેટ નહીં પરંતુ બબીતાજીને આખેઆખો પ્લોટમાં ભેટમાં આપે છે. મજાની વાત એ છે કે આ પ્લોટ પૃથ્વી પર નહીં, પરંતુ ચંદ્ર પર છે. આ અભૂતપૂર્વ અને આકાશી ભેટ જેઠાલાલને બબીતાજી તરફથી મળેલા સમર્થન માટે તેમની ગહન પ્રશંસાનો પુરાવો છે. હવે જોવાનું એ છે કે બબીતાજીના પતિ અય્યરભાઈ તેના પર કેવી પ્રતિક્રિયા આપે છે.

વિવાદ પર આસિત મોદીની સ્પષ્ટતા

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના મેકર અસિતકુમાર મોદી (Asit Kumarr Modi)એ જણાવ્યું છે કે તેણે કોઈની પણ સાથે કાંઈ ખોટું નથી કર્યું. આ વાત તેણે એટલા માટે કહી છે કેમ કે આ શોમાં રોશન સિંહ સોઢીનો રોલ કરનાર જેનિફર મિસ્ત્રી બન્સીવાલે તેના પર સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટના આરોપ લગાવ્યા છે. સાથે જ મોનિકા ભદોરિયા, જે બાવરીનો રોલ કરતી હતી અને તારક મહેતાનો રોલ કરનાર શૈલેશ લોઢાએ પણ શોના મેકર અને ટીમ પર ખરાબ વર્તન કરવાનો આરોપ લગાવ્યો હતો. થોડા સમય પહેલાં રીટા રિપોર્ટરના રોલમાં દેખાયેલી પ્રિયા આહુજાએ પણ ટીમના ખરાબ વર્તનનો ખુલાસો કર્યો હતો. ૨૦૦૮માં આ સિરિયલ સબ ટીવી પર શરૂ થઈ હતી.

asit kumar modi taarak mehta ka ooltah chashmah television news entertainment news